Gujarat Election 2022:વિઘાનસભા સામાન્ય ચૂંટણીને લઇને 3 નવેમ્બરથી આચારસંહિતા લાગૂ કરાઇ હતી. જેને સમાપ્ત કરી દેવાઇ છે. હવેથી ફરી સરકાર વિકાસના કાર્ય નોકરીમાં ભરતી સહિતના કાર્યોને વેગ આપી શકશે.
વિઘાનસભા સામાન્ય ચૂંટણીને લઇને 3 નવેમ્બરથી આચારસંહિતા લાગૂ કરાઇ હતી. જેને સમાપ્ત કરી દેવાઇ છે. હવેથી ફરી સરકાર વિકાસના કાર્ય નોકરીમાં ભરતી સહિતના કાર્યોને વેગ આપી શકશે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે 3 નવેમ્બરના રોજ આદર્શ આચાર સંહિતા લાગુ કરી હતી. જો કે વિધાનસભાની ચૂંટણીનું હવે પરિણામ આવી ગયું છે અને 12 ડિસેમ્બર ફરી ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે 9 ડિસેમ્બરે આચરસંહિતા સમાપ્ત થયાની જાહેરાત તરી છે. 12 ડિસેમ્બરે સીએમ સહિતના નવ નિયુક્ત મંત્રીઓ શપથ લેશે.
Gujarat New Cabinet: ભૂપેંદ્ર પટેલ કેબિનેટમાં ક્યાં નેતાઓને મળી શકે છે સ્થાન ? જુઓ યાદી
Gujarat New Cabinet News: ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 થી 14 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લાગશે.
અનિરુદ્ધ દવે, માંડવીશંકર ચૌધરી, થરાદબળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુરઋષીકેશ પટેલ, વિસનગરઅલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણહાર્દિક પટેલ, વિરમગામકનુભાઈ પટેલ, સાણંદઅમિત ઠાકર, વેજલપુરકિરીટસિંહ રાણા, લીંબડીકુંવરજી બાવળિયા, જસદણજયેશ રાદડિયા, જેતપુરરાઘવજી પટેલ, જામનગર ગ્રામ્યમૂળુભાઈ બેરા, ખંભાળિયાકૌશિક વેકરીયા, અમરેલીહીરા સોલંકી, રાજુલાજીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમપંકજ દેસાઈ, નડિયાદસી.કે.રાઉલજી, ગોધરામુકેશ પટેલ, ઓલપાડવિનુ મોરડિયા, કતારગામહર્ષ સંઘવી, મજુરાકનુભાઈ દેસાઈ, પારડીપુર્ણેશ મોદી, સુરત પશ્ચિમઉદય કાનગડ, રાજકોટ પૂર્વબાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા
12 ડિસેમ્બરે સીએમ શપથ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળશે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. પક્ષ તરફથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ તરફથી સી.આર.પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો હતો. પંકજ દેસાઇએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે. શપથવિધીનો સમય નક્કી કરવા કાલે બપોરે બે વાગ્યે મળવાનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે તે પણ કાલે નક્કી થઇ જશે.