= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Loksabha 2024: ભીખાજીના સર્મથકોમાં રોષ, ટિકિટ આપવા માંગ લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોને લઇને હજુ પાર્ટીમાં મથામણ ચાલું છે. ગઇ કાલે ભીખાજી ઉમેદવારી પાછી ખેંચતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજમાં કાર્યકરોએ બેનર સાથે વિરોધ કર્યો છે. ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીંના બેનર લગાવવામાં આવ્યાં છે. ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવા માગણી ઉઠી છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શક્તિસિંહ ગોહિલના નિવેદન પર ભાજપનો પલટવાર, રાહુલ ગાંધી અમેઠીથી કેમ વાયનાડ ચૂંટણી લડવા ગયા? લોકસભાની ચૂંટણી સમયે હાલ આરોપ પ્રત્યારોપ સાથે એકબીજા પક્ષ પર પ્રહારોની રાજનિતીએ જોર પકડ્યું છે.શક્તિસિંહ ગોહિલના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. શક્તિસિંહ પણ ભાવનગરથી કચ્છ ચૂંટણી લડવા ગયા હતા અને રાહુલ ગાંધી અમેઠીથી કેમ વાયનાડ ચૂંટણી લડવા ગયા?
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે. માફી માગવાની માંગણી અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં રજવાડાઓ પરના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે, તેમણે કહ્યું હતું કે અંગ્રેજો સામે મહારાજો ન્યાં , રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહીં, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા આ તમામ નિવેદનોથી ક્ષત્રિય સમાજના આગેવાનોઓ માફી માગવા માગણી કરી છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election 2024: અખિલેશ યાદવ રામપુરથી ચૂંટણી લડશે! સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગયા શુક્રવારે સીતાપુર જેલમાં બંધ આઝમ ખાન સાથે મુલાકાત કરી હતી.આ બેઠક બાદ સૂત્રોનું માનીએ તો બંને નેતાઓ વચ્ચે ઘણી બેઠકો માટે નામો અંગે ચર્ચા થઈ હતી. અખિલેશ યાદવની આઝમ ખાન સાથેની મુલાકાત બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ રામપુરથી ચૂંટણી લડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આઝમ ખાને અખિલેશ યાદવને રામપુરથી ચૂંટણી લડવા વિનંતી કરી છે. જો અખિલેશ લોકસભા ચૂંટણી લડશે તો હવે કન્નૌજની સાથે રામપુરનો વિકલ્પ પણ છે. રામપુર સીટ પેટાચૂંટણીમાં સપા હારી ગઈ હતી. જો કે અખિલેશે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. તેમણે લોકસભાની ચૂંટણી લડવી કે નહીં તે અંગે પણ પાર્ટી વિચારણા કરી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Elections 2024: BJP આજે ઉમેદવારોની પાંચમી યાદી કરી શકે છે જાહેર લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારોની પાંચમી યાદી આજે એટલે કે રવિવારે (24 માર્ચ, 2024) આવી શકે છે. યાદી બપોર પછી આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્ર પ્રદેશ) માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. આ યાદી અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે (23 માર્ચ, 2024) રાત્રે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Election 2024:ભાજપના આ સહયોગીએ બે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહયોગી અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી ટીટીવી ધિનાકરને રવિવારે (24 માર્ચ) ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે AMMK NDA ગઠબંધનમાં બે સીટો પર ચૂંટણી લડશે. અહીં ટીટીવી ધિનાકરન થેની અનેસેંથિલનાથન ત્રિચી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને વિશ્વાસ છે કે બંને પોતપોતાની બેઠકો જીતશે.
તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહયોગી અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી ટીટીવી ધિનાકરને રવિવારે (24 માર્ચ) ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે AMMK NDA ગઠબંધનમાં બે સીટો પર ચૂંટણી લડશે. અહીં ટીટીવી ધિનાકરન થેની અનેસેંથિલનાથન ત્રિચી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને વિશ્વાસ છે કે બંને પોતપોતાની બેઠકો જીતશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Loksabha 2024: સાબરકાંઠા ભાજપ ઉમેદવારે કર્યો મોટો ખુલાસો ગઇ કાલે સાબરકાંઠાની બેઠક પરથી ભીખાજી ચૂંટણી ન લડવાની જાહેરાત કર્યાં બાદ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો ખુલાસો કર્યો હતો. ચૂંટણી પ્રચાર કરતા રોકવા પક્ષમાંથી સૂચનાઆવી હોવાની ભીખાજીએ કબુલાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Loksabha 2024: લોકસભાની ચૂંટણી અગાઉ શરૂ થઈ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ છોટા ઉદેપુરના ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને બેસાડ્યાનો વિપક્ષે આરોપ કર્યો છે. અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદને સ્ટેજ પર બેસાડ્તા આ આરોપ લગાવ્યા હતા. મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફીયાએ બુટલેગરનું સ્વાગત કર્યોનો આરોપ લગાવ્યો છે. બુટલેગર પાસેથી જમીન ખરીદી ભાજપે કાર્યાલય બનાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બુટલેગર પિન્ટુ જયસ્વાલ વિરૂદ્ધ 8થી વધુ પ્રોહિબિશનના ગુનાનો આરોપ હોવાનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Loksabha 2024: દિયોદરના પૂર્વ MLA શિવા ભુરીયાના ભાજપ પર પ્રહાર દિયોદરના પૂર્વ MLA શિવા ભુરીયાનાએ રેખા બેન પર નિશાન સાંધતા કહ્યું કે, “રેખાબેનને તો છોકરા ભણાવતા જ આવડે,ચૂંટણી આવી છે એટલે લાલચ આપશે, અમારી સાથે આવી જાઓ એટલે ડેરીમાં નોકરી મળી શકે,જોરથી બોલવું અને જુઠ્ઠુ બોલવુ એ ભાજપની આદત છે. બેંક,ડેરીમાં નોકરીની લોભામણી લાલચમાં છેતરાય ન જતા” .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Loksabha 2024: કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં, બેઠકના ઉમેદવારને લઈને ચર્ચા સંભવ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકને લઇને હજુ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. ઉમેદવારને લઈ કૉંગ્રેસના બે જૂથ વચ્ચે ખેચતાણ ચાલી રહી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ડૉ.હેમાંગ વસાવડા જૂથ વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે. શક્તિસિંહ ગોહિલ બંન્ને જૂથના અગ્રણી સાથે આજે ચર્ચા કરશે. ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે પણ શક્તિસિંહ મુલાકાત કરશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર, લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ Loksabha Election 2024:લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે.. પ્રદેશ ભાજપનો લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે. અમદાવાદના બોડકદેવથી આ અભિયાનનો પ્રારંભ થયો છે. આજે સરકારી આવાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે CMએ વસ્ત્રાપુરમાં ગણપતિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.