Loksabha 2024 Live Update :ભીખાજીની ઉમેદવારી પાછી ખેંચાતા આક્રોશ, ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની પાંચમી યાદીમાં સામેલ થવાના નામો પર મંથન કરવામાં આવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 24 Mar 2024 02:42 PM
Loksabha 2024: ભીખાજીના સર્મથકોમાં રોષ, ટિકિટ આપવા માંગ

લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોને લઇને હજુ પાર્ટીમાં મથામણ ચાલું છે. ગઇ કાલે ભીખાજી ઉમેદવારી પાછી  ખેંચતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજમાં કાર્યકરોએ બેનર સાથે  વિરોધ કર્યો છે. ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીંના બેનર લગાવવામાં આવ્યાં છે. ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવા માગણી ઉઠી છે

શક્તિસિંહ ગોહિલના નિવેદન પર ભાજપનો પલટવાર, રાહુલ ગાંધી અમેઠીથી કેમ વાયનાડ ચૂંટણી લડવા ગયા?

લોકસભાની ચૂંટણી સમયે હાલ આરોપ પ્રત્યારોપ સાથે એકબીજા પક્ષ પર પ્રહારોની રાજનિતીએ જોર પકડ્યું છે.શક્તિસિંહ ગોહિલના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. શક્તિસિંહ પણ ભાવનગરથી કચ્છ ચૂંટણી લડવા ગયા હતા અને રાહુલ ગાંધી અમેઠીથી કેમ વાયનાડ ચૂંટણી લડવા ગયા?

પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે. માફી માગવાની માંગણી

અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં રજવાડાઓ પરના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં  રોષ છે, તેમણે કહ્યું હતું કે અંગ્રેજો સામે મહારાજો ન્યાં , રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહીં, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા આ તમામ નિવેદનોથી  ક્ષત્રિય સમાજના આગેવાનોઓ માફી માગવા માગણી કરી છે

Lok Sabha Election 2024: અખિલેશ યાદવ રામપુરથી ચૂંટણી લડશે!

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગયા શુક્રવારે સીતાપુર જેલમાં બંધ આઝમ ખાન સાથે મુલાકાત કરી હતી.આ બેઠક બાદ સૂત્રોનું માનીએ તો બંને નેતાઓ વચ્ચે ઘણી બેઠકો માટે નામો અંગે ચર્ચા થઈ હતી. અખિલેશ યાદવની આઝમ ખાન સાથેની મુલાકાત બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ રામપુરથી ચૂંટણી લડશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર આઝમ ખાને અખિલેશ યાદવને રામપુરથી ચૂંટણી લડવા વિનંતી કરી છે. જો અખિલેશ લોકસભા ચૂંટણી લડશે તો હવે કન્નૌજની સાથે રામપુરનો વિકલ્પ પણ છે. રામપુર સીટ પેટાચૂંટણીમાં સપા હારી ગઈ હતી. જો કે અખિલેશે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. તેમણે લોકસભાની ચૂંટણી લડવી કે નહીં તે અંગે પણ પાર્ટી વિચારણા કરી રહી છે.

Lok Sabha Elections 2024: BJP આજે ઉમેદવારોની પાંચમી યાદી કરી શકે છે જાહેર

 લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારોની પાંચમી યાદી આજે એટલે કે રવિવારે (24 માર્ચ, 2024) આવી શકે છે. યાદી બપોર પછી આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્ર પ્રદેશ) માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. આ યાદી અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે (23 માર્ચ, 2024) રાત્રે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.

Lok Sabha Election 2024:ભાજપના આ સહયોગીએ બે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા

તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહયોગી અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી ટીટીવી ધિનાકરને રવિવારે (24 માર્ચ) ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.


તેમણે કહ્યું કે AMMK NDA ગઠબંધનમાં બે સીટો પર ચૂંટણી લડશે. અહીં ટીટીવી ધિનાકરન થેની અનેસેંથિલનાથન ત્રિચી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને વિશ્વાસ છે કે બંને પોતપોતાની બેઠકો જીતશે.


તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહયોગી અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) એ બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી ટીટીવી ધિનાકરને રવિવારે (24 માર્ચ) ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે AMMK NDA ગઠબંધનમાં બે સીટો પર ચૂંટણી લડશે. અહીં ટીટીવી ધિનાકરન થેની અનેસેંથિલનાથન ત્રિચી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને વિશ્વાસ છે કે બંને પોતપોતાની બેઠકો જીતશે.





Loksabha 2024: સાબરકાંઠા ભાજપ ઉમેદવારે કર્યો મોટો ખુલાસો

ગઇ કાલે સાબરકાંઠાની બેઠક પરથી ભીખાજી ચૂંટણી ન લડવાની જાહેરાત કર્યાં બાદ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો  ખુલાસો કર્યો હતો. ચૂંટણી પ્રચાર કરતા  રોકવા પક્ષમાંથી સૂચનાઆવી હોવાની ભીખાજીએ  કબુલાત કરી હતી.

Loksabha 2024: લોકસભાની ચૂંટણી અગાઉ શરૂ થઈ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ

છોટા ઉદેપુરના ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને બેસાડ્યાનો વિપક્ષે આરોપ કર્યો છે. અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદને સ્ટેજ પર બેસાડ્તા આ  આરોપ લગાવ્યા હતા.  મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફીયાએ બુટલેગરનું સ્વાગત કર્યોનો આરોપ લગાવ્યો છે. બુટલેગર પાસેથી જમીન ખરીદી ભાજપે કાર્યાલય બનાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બુટલેગર પિન્ટુ જયસ્વાલ વિરૂદ્ધ 8થી વધુ પ્રોહિબિશનના ગુનાનો આરોપ  હોવાનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે.

Loksabha 2024: દિયોદરના પૂર્વ MLA શિવા ભુરીયાના ભાજપ પર પ્રહાર

દિયોદરના પૂર્વ MLA શિવા ભુરીયાનાએ રેખા બેન પર નિશાન સાંધતા કહ્યું કે, “રેખાબેનને તો છોકરા ભણાવતા જ આવડે,ચૂંટણી આવી છે એટલે લાલચ આપશે, અમારી સાથે આવી જાઓ એટલે ડેરીમાં નોકરી મળી શકે,જોરથી બોલવું અને જુઠ્ઠુ બોલવુ એ ભાજપની આદત છે. બેંક,ડેરીમાં નોકરીની લોભામણી લાલચમાં છેતરાય ન જતા”  .

Loksabha 2024: કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં, બેઠકના ઉમેદવારને લઈને ચર્ચા સંભવ

લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકને લઇને હજુ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. ઉમેદવારને લઈ કૉંગ્રેસના બે જૂથ વચ્ચે ખેચતાણ ચાલી રહી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ડૉ.હેમાંગ વસાવડા જૂથ વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે. શક્તિસિંહ ગોહિલ બંન્ને જૂથના અગ્રણી સાથે આજે  ચર્ચા કરશે. ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે પણ શક્તિસિંહ  મુલાકાત કરશે

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર, લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ

Loksabha Election 2024:લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે.. પ્રદેશ ભાજપનો લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ  થઇ ચૂક્યો છે. અમદાવાદના બોડકદેવથી આ અભિયાનનો પ્રારંભ થયો છે. આજે સરકારી આવાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે  CMએ વસ્ત્રાપુરમાં ગણપતિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

બ્રેકગ્રાઉન્ડ

Loksabha 2024:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે. બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી પટ્ટાના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે.


2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.


દિલ્લીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક  મળી હતી. લગભગ સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી. ગુજરાતની બાકીની 6 બેઠકોના ઉમેદવારોના નામ અંગે ચર્ચા થઇ હતી. વડોદરા,સાબરકાંઠાના નવા ઉમેદવારો અંગે મંથન થઇ રહ્યું છે. વડોદરામાં બ્રાહ્મણને સ્થાને બ્રાહ્મણ ઉમેદવાર પર પસંદગીની કલશ ઢળાઇ શકે છે. સાબરકાંઠામાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ મળી શકે છે.           

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.