નવી દિલ્લીઃ પતંજલિ આર્યુવેદની દવાની કોવિડ-19ના દર્દીઓ પર કંટ્રોલ્ડ ક્લીનીકલ ટ્રાયલના પરિણામોની આજે પત્રકાર પરિષદમાં જાહેરાત થશે. યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ આજે બપોરે 12 વાગ્યે પત્રકાર પરીષદને સંબોધિત કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિક, ડોક્ટર અને રિસર્ચર પણ હાજર રહશે.


આચાર્ય બાલકૃષ્ણે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, આ દરમિયાન કોરોનાની એવિડેન્સ બેસ્ડ પહેલી આર્યુવેદિક ઔષધિ કોરોનિલને સાઇટન્ટિફિક ડોક્યુમેન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં થશે.