Holi 2023 Live: વરસાદી માહોલ વચ્ચે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો , સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી
આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે હોલિકા દહન કરવામાં આવશે.
gujarati.abplive.comLast Updated: 06 Mar 2023 08:14 PM
બ્રેકગ્રાઉન્ડ
Holi 2023 Live:આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે હોલિકા દહન કરવામાં આવશે.આજે સાંજે હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ...More
Holi 2023 Live:આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે હોલિકા દહન કરવામાં આવશે.આજે સાંજે હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થતાં શુભકાર્યની પણ શરૂઆત કરી શકાશે. લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો થઇ શકશે.હિન્દુ પંચાગ અનુસાર 'ફાગણ માસની પૂનમ 6 માર્ચના સાંજે 4 કલાક 18 મિનિટના શરૃ થાય છે અને તે 7 માર્ચના સાંજે 6:11 પૂર્ણ થશે.હોલીકા દહનની વિધિહોલીકા દહન માટે કાષ્ટ અને છાણા એકઠા કરવામા આવે છે બાદ તેને ફરતું સૂરતના તારથી બાંધવામાં આવે છેઆ પછી, પૂજાના શુભ સમય દરમિયાન, પાણી, કુમકુમ વગેરે હોલીકા પર છાંટવામાં આવે છે.બાદ હોલીકાને અક્ષત કુમકુમ, પુષ્પ અર્પણ કરવામાં આવે છે.ભગવાન વિષ્ણુને યાદ કરીને પૂજન કરવામાં આવે છે અને ભક્તો સળગતા હોલીકાની આસપાસ પ્રદક્ષિણા કરે છે.હોલીકાના જણાવ્યા મુજબ, ભક્તો હોલીકાને સળગાવતી વખતે તેમના આરાધ્ય તરફથી તમામ વેદનાની મુક્તિ માટે પ્રાર્થના કરીને પૂજા કરે છે.
પાલજ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી
પાલજની હોળીનુ વિશેષ મહત્વ છે. અહી વર્ષોની પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. ૩૦ ફૂટ ત્રીજીયામાં અને ઊંચાઈ ૩૫ ફૂટ હોય છે. વર્ષોથી અહી હોલિકા દહનની તૈયારીઓ ૧૫ દિવસ પૂર્વે થઈ જાય છે. ગામના ૭૦ થી ૮૦ યુવાનોના શિરે લાકડા એકત્રિત કરવાની જવાબદારી સોંપાય છે.