Train Ticket Refund Rule: ટ્રેન મોડી પડે તો પણ મળશે રિફંડ, જાણો શું છે પ્રક્રિયા


Indian Railways: જો તમે શિયાળામાં મુસાફરી કરી રહ્યા હોવ અને ધુમ્મસ કે અન્ય કોઈ કારણોસર તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે તો તમને ટ્રેન ટિકિટના પૂરા પૈસા પરત મળી શકે છે.


Train Ticket Refund: શિયાળામાં ધુમ્મસની ઘણી અસર થતી હોઈ છે, જેના કારણે ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ પડતા વિલંબને કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ રદ થયેલી ટ્રેનો પર રિફંડ ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેન મોડી હોઈ તો પણ તમે રિફંડ માટે દાવો કરી શકો છો.


ભારતીય રેલ્વેની વેબસાઈટ અનુસાર, જો ટ્રેન મોડી હોય તો તમે તમારી કન્ફર્મ ટિકિટ પર રિફંડ મેળવી શકો છો. ત્રણ કલાકથી વધુ મોડી પડેલી ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા માટે રેલવે તમને પૂરા પૈસા આપશે. આ માટે તમારે IRCTની  વેબસાઇટ, એપ અથવા રેલવે ટિકિટ કાઉન્ટર પર જવું પડશે અને ટિકિટ કેન્સલ કરવાની વિનંતી કરવી પડશે. ઉપરાંત, તમારે ખાતરી કરવી પડશે કે તમે તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા નથી.


જો તમે આ શરત પૂરી કરશો તો જ રિફંડ આપવામાં આવશે
સૌથી મહત્વની વાત એ છે કે જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી ચાલી રહી હોય અને ટ્રેનના આગમન પહેલા ટિકિટ કેન્સલ થઈ જાય તો જ તમને રિફંડ આપવામાં આવશે. 2 કે 1 કલાક મોડી ચાલતી ટ્રેનો પર મુસાફરો રિફંડનો દાવો કરી શકતા નથી. સંપૂર્ણ રિફંડ મેળવવા માટે ટ્રેનની વાસ્તવિક પ્રસ્થાન પહેલાં TDR ફાઇલ કરવાની રહેશે.


આ રીતે તમને વિન્ડોમાંથી રિફંડ મળશે
ટ્રેન ઉપડતા પહેલા તમારે PRS કાઉન્ટર પર જવું પડશે. આ પછી તમારે તમારી ટિકિટ સરેન્ડર કરવી પડશે. પછી તપાસ બાદ તમને ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આના પર કોઈ કપાત કરવામાં આવશે નહીં.


ઓનલાઈન રિફંડ કેવી રીતે મેળવવું
જો તમે આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરાવી છે, તો તમારે ટીડીઆર (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) ફાઇલ ભરવાની રહેશે. TDR ફાઇલ કર્યા પછી, ઇ-ટિકિટ રિફંડ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 90 દિવસ અને વધુ સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.


આ ટિકિટો પર રિફંડ ઉપલબ્ધ રહેશે નહીં
કોવિડ -19 થી, રેલ્વેએ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી આપી નથી. આવી સ્થિતિમાં, જો તમે સ્લીપર અથવા એસીમાં વેઇટિંગ ટિકિટ લઈને મુસાફરી કરો છો, તો તમને દંડ થશે. ટ્રેનની મુસાફરી પૂરી થાય ત્યાં સુધી વેઇટિંગ ટિકિટ પરનું રિફંડ રેલવે દ્વારા આપવામાં આવે છે. આ સિવાય, વિન્ડોમાંથી લીધેલી સામાન્ય ટિકિટ પર પણ રિફંડનો દાવો કરી શકાતો નથી, કારણ કે તેને રેલવે દ્વારા મુસાફરી કરવાની છૂટ છે.