Uttarayan 2023 Live Update: મકર સંક્રાંતિના અવસરે અકસ્માત ટાળવા સુરત પોલીસ કર્યો આ મહત્વનો આદેશ

આજે મકરસંક્રાંતિના પર્વને લઇને પતંગ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાન પૂજા અને પતંગબાજી સાથે લોકો ઉતરાણની મોજ માણી રહ્યાં છે,

gujarati.abplive.com Last Updated: 14 Jan 2023 02:23 PM
Makar Sankranti 2023: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે પોળમાં પેચ લડાવી મનાવી ઉતરાણ

આજે સમગ્ર રાજ્યમાં ઉમળકાભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. નાના મોટી સૌ કોઈ પતંગો ચગાવી રહ્યા છે. આજે આજે ગુજરાતના સીએમ ભુપેદ્ર પટેલે પણ પતંગ ચગાવી હતી. સીએમએ અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલના આગમનથી કાર્યકરોમાં પણ જોશ જોવા મળ્યો હતો. 

જરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક ગ્રામજનો સાથે ઉતરાણની કરી ઉજવણી

ગાંધીનગરના મેયરે ઉત્તરાયણ પર્વની ઉજવણી પાલજ ગામમાં કરી. પાલેજ ગામ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર 4માં આવે છે. મેયર હિતેશ મકવાણાએ તેમની પત્ની અને ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રોમાં માણેક અને વોર્ડ 4ના કોર્પોરેટર અને ગ્રામજનો સાથે ઉજવણી કરી હતી. ઉજવણી પહેલા જરૂરિયાતમંદ લોકોને પતંગનું વિતરણ કર્યું હતું. બીજી તરફ ગ્રામજનોએ ગુલાબની પાંદડીઓથી રોમા માણેક અને હિતેશ મકવાણાનું કર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાતના રાજકારણના આકાશમાં ભાજપનો પતંગ ઉચોને ઉચો જ ચગતો રહેશે અને ભાજપ પોતાના કામનું મૂલ્યાંકન કરશે તેવો વિશ્વાસ હિતેશ મકવાણાએ વ્યક્ત કર્યો. તો તેમના પત્ની રોમા માણેકે પતિ મેયર બન્યા હોવાથી સમય ઓછો આપે છે જેના કારણે મીઠો ઝઘડો થતો હોવાનું જણાવતા પોતે રાજકારણમાં નહિ આવે માત્ર પતિને સાથ આપશે તેવું જણાવ્યું હતું.

Uttrayan update LIVE: સુરતમાં સંક્રાંતિમાં અકસ્માત ટાળવા કર્યો આ મહત્વનો નિર્ણય

ઉત્તરાયણના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં પતંગરસીયાઓ હવામાં પતંગના દાવપેંચ લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીથી લોકોના જીવ બચાવવા  સુરત પોલીસના જવાનો ઓવરબ્રિજ પર તૈનાત થઈ ગયા છે. સુરત શહેરના તમામ ઓવર બ્રિજ પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. આજે ઉત્તરાયણ પર્વને લઇ લોકોના જીવ બચાવવા સુરત પોલીસ રોડ પર ગોઠવાઈ છે. કાતિલ દોરીથી લોકોના જીવ બચાવવા માટે પોલીસ લોકોની સેવામાં હાજર છે. તો બીજી તરફ સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી કરવામાં આવી છે. બે દિવસ આજે અને આવતીકાલ માટે સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરાયો છે.


 

Uttarayan 2023: 30 વર્ષ બાદ બન્યો અનોખો સંયોગ, જાણો 14 તારીખે કે 15 તારીખે ઉજવાશે મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે 


શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. સમાજમાં યસ, પ્રતિષ્ઠા, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે. 

Gujarat Weather Update: પતંગરસિયા માટે મહત્વના સમાચાર, જાણો, ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ

Gujarat Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.


રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

Uttarayan 2023 Live: રાજકોટ શહેરમાં ઉંઘિયાની જમાવટ, ભાવ પહોંચ્યા આસમાને

રાજકોટમાં સ્પેશિયલી માટલા ઊંધિયું બનાવવામાં આવે છે. તેલ સહિત અલગ અલગ વસ્તુઓના ભાવ વધતા ઊંધિયાના ભાવમાં વધારો થયો છે. રાજકોટ વાસીઓ આજે કરોડો રૂપિયાનું ઊંધિયું ખાઈ જશે.ખાસ લીલા ઘઉંના પોખમાંથી બનેલું જાદરીયાની પણ મોટા પ્રમાણમાં વેચાઇ છે. આજે મકરસંક્રાંતિના પર્વમાં ખીચડો ખાવાનું પણ અનેરૂ મહત્વ છે. ઊંધિયું ના ભાવ એક કિલોના 400 રૂપિયા છે. જાદરીયા ના ભાવ 1 કિલો ના 500 રૂપિયા છે. એક કિલો ખીચડાના ભાવ ₹300 રૂપિયા છે.

Uttarayan 2023 Live: અરવલ્લીમાં બાઇક સવારને નડ્યો અકસ્માત, ચાઇનિઝ દોરીના કારણે ગંભીર ઇજા

 Uttarayan 2023 Live: અરવલ્લીમાં  પતંગની દોરી ગળામાં ભરાઈ જતા બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલકને ધનસુરા - માલપુર રોડ પર અકસ્માત નડ્યો હોય. ગંભીર ઇજા પહોંચતા ધનસુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Uttarayan 2023 Live Update:સાળંગપુર હનુમાનને પતંગનો શૃંગાર, ભાવિકોએ સંક્રાતિ પર શીશ ઝુકાવી લીધા આશિષ

આજે મકર સંક્રાંતિના પર્વ પર કષ્ટભંજન હનુમાન દાદાને પતંગનો શૃંગાર કરવામાં આવ્યો છે. ભાવિકો આ અવસરે હનુમંતના ચરણોમાં શિશ ઝુકાવીને આશિષ લીધા હતા.

બ્રેકગ્રાઉન્ડ

આજે મકરસંક્રાંતિના પર્વને લઇને પતંગ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  દાન પૂજા અને પતંગબાજી સાથે લોકો ઉતરાણની મોજ માણી રહ્યાં છે, તો બીજી તરફ  ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સુરત અમદાવાદમાં  ફાફડાની દુકાનમાં લાંબી કતારો જોવા મળી.


સુરતમાં આજે ઉત્તરાયણ પર્વ ને લઈ જલેબી ફાફડા ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. અહીં ઊંધીયાની સાથે સાથે જલેબી ફાફડાની જયાફત પતંગ સાથે  ઉડાવવા માટે સુરતીઓ ધાબા પર ફાફડા પાર્ટીનું આયોજન કરે છે. જેના કારણે અહીં દુકાનોમાં લાંબી લાઇન જોવા મળી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.