= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા,થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પહોંચશે વડોદરા Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે થોડીવારમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી વડોદરા પહોંચશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ વડોદરા જવા રવાના થયા છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો Boat Accident Live: વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ ધટનાસ્થળે પહોંચવા રવાના થયા છે. ઉલ્લેખનિય છે કે હજુ પણ છ લોકો લાપત્તા હોવાની શક્યતાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં હજુ પણ બચાવ અને રાહતકાર્ય ચાલુ Boat Accident Live: વડોદરા હરણી તળાવમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા હોવાથી બચાવ અને રાહત કાર્ય ચાલું છે. ઓક્સિજન માસ્ક અને કેમેરા સાથે જવાનોને લેકમાં ઉતારવામાં આવ્યાં છે. રેસક્યુ ટીમ ડૂબેલા બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં હજુ પણ બચાવ અને રાહતકાર્ય ચાલુ Boat Accident Live: વડોદરા હરણી તળાવમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા હોવાથી બચાવ અને રાહત કાર્ય ચાલું છે. ઓક્સિજન માસ્ક અને કેમેરા સાથે જવાનોને લેકમાં ઉતારવામાં આવ્યાં છે. રેસક્યુ ટીમ ડૂબેલા બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે સહાયની જાહેરાત Boat Accident Live: વડોદરાની બોટ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં 13 બાળકો અને બે શિક્ષકોના દુર્ઘટનામાં મોત થયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: બોટ ડૂબી જવાની ઘટના અંત્યત હૃદયવિદારક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: હરણી તળાવ દુર્ઘટના અંત્યત દુ:ખદાયક: સી.આર. પાટિલ Boat Accident Live:વડોદરાનાં હરણી તળાવમાં બાળકોની બોટ ડૂબી જવાની દુર્ઘટના અત્યંત દુખદ છે. જીવ ગુમાવનારાઓનાં દિવ્યાત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: વડોદરાની બોટ દુર્ઘટનાને પગલે PM મોદીએ વ્યક્ત કરી સંવેદન,ટ્વીટ કરી લખ્યું... પીએમ મોદીએ વડોદરા હરણી તળાવ દુર્ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે. મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લખ્યું કેે, ભગવાન આ દુ:ખને સહન કરવાની હિંમત આપે તો ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક સ્તરે પ્રશાસન દરેક સહાય કરવા માટે કાર્યરત છે.
Boat Accident Live: જો આ વ્યક્તિની સલાહ માની હોત તો ઘટત આ દુર્ઘટના, મનપા ન જાગ્યું
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડોદરાની ઘટના ખૂબ જ દુ:ખદ, કસૂરવારો સામે પગલા લેવામાં આવશે: રૂષિકેસ પટેલ વડોદરાની દુર્ઘટનાને લઇને આરોગ્યમંત્રી ઋષિકેસ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, ખૂબ જ દુઃખદ ઘટના છે.જે લોકોના મરણ થયેલ છે તેમના પરિવારજનોને સાંત્વના, ઘટના માટે જવાબદાર સામે પગલા લેવામાં આવશે.સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: જો આ વ્યક્તિની સલાહ માની હોત તો ઘટત આ દુર્ઘટના, મનપા ન જાગ્યું Boat Accident Live:વડોદરાની બોટ દુર્ઘટનાને લઇને એક અન્ય ચોંકાનારી પણ મહત્વની હકીકત સામે આવી છે. ઉલ્લેખનિય છે,પીવી મુરજાણી નામની વ્યક્તિએ અગાઉ મનપાને અહીં સેફટીના સાધનોને લઇને ચેતવ્યા હતા.2021-22માં વડોદરા મનપાને પત્ર લખીને સલામતના સાધનાનો અભાવ હોવાની વાત કરી હતી. જો કે મનપાએ આ આ સલાહને ગંભીરતાથી ન લેતા કોઇ જ પગલા ન લીધા અને આખરે મોરબીની જેમ અહીં પણ માસૂમ નિર્દોષે જીવ ગુમાવ્યાં
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live: બોટના કોન્ટ્રાક્ટરે અન્યને કોન્ટ્રોક્ટ સોંપ્યો હોવાનો ખુલાસો વડોદરાની બોટ દુર્ઘટનાને લઇને કેટલાક ચોંકાવનાર ખુલાસા થયા છે. દુર્ઘટના સર્જાઇ છે. આ બોટને કોન્ટ્રાક્ટ પરેશ શાહને આપવામાં આવ્યો હતો પરંતુ આ પરેશ શાહે અન્ય કોઇ મળતિયાને કામ સોપ્યું હતું. મતળિયાઓને કોંટ્રાક્ટ આપી હોવાથી દુર્ઘટના સર્જાઇ હોવાની મોરબી બાદ આ કરૂણ બીજી દુર્ઘટના છે. બોટનું સમયસર ઇન્સ્પેકશન પણ ન હતું થયા હોવાનો પણ અહેવાલ મળ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live:વડોદરાની ઘટનાના પગલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી આ વાત Boat Accident Live: વડોદરામાં બનેલ ઘટનાને લઈ શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે વડોદરાની ઘટના માટે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી છે. આવનારા સમયમાં જે જવાબદારો હશે તેની સામે કાર્યવાહી કરવાની બાંહેધરરી આપી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Boat Accident Live:વડોદરાની ઘટના ખૂબ જ દુ:ખદ, કસૂરવારો સામે પગલા લેવામાં આવશે: રૂષિકેસ પટેલ Boat Accident Live:વડોદરાની દુર્ઘટનાને લઇને આરોગ્યમંત્રી ઋષિકેસ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, ખૂબ જ દુઃખદ ઘટના છે.જે લોકોના મરણ થયેલ છે તેમના પરિવારજનોને સાંત્વના, ઘટના માટે જવાબદાર સામે પગલા લેવામાં આવશે.સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.