મંગળવારે રાત્રે વડોદરા જિલ્લાના કરજણના 63 વર્ષીય ગોવિંદભાઇ શનાભાઇ વણકરનું કોરોના વાયરસથી મોત નિપજ્યું હતું. 20 એપ્રિલના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
બોડેલીમાં કોરોના વાયરસથી સંક્રમિત બે વર્ષની બાળકી સાજી થયા બાદ તેને મંગળવારે ગોત્રીની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આ બાળકી છોટે ઉદેપુર જિલ્લાની બીજી એવી દર્દી હતી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.