ગુજરાતના સૌથી વધુ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં 1298 કેસ અને 43 મોત, વડોદરા 188 કેસ અને 7 મોત, સુરતમાં 338 કેસ અને 10ના મોત, રાજકોટમાં 40 કેસ, ભાવનગરમાં 32 કેસ અને પાંચ મોત, આણંદમાં 28 કેસ અને બે મોત અને ભરુચ 23 કેસ અને એક મોત છે.
આ ઉપરાંત ગુજરાતમાં આજે કોરોનાથી વધુ છ દર્દીઓના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 5 અને ભાવનગરમાં એક દર્દીનું મોત થયું છે. આ તમામ દર્દીઓની ઉંમર 50 કે તેથી વધુ સામે આવી છે. તેમજ બે દર્દીઓને અન્ય બીમારી હતી. જોકે, ત્રણ દર્દીઓને બીજી કોઈ બીમારી હતી નહીં. આ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 43 મોત થયા છે.