દાહોદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. આવા સમયે દાહોદમાં આજે એક 80 વર્ષીય વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી છે. દાહોદમાં આજે કુલ બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને રજા આપવામાં આવી છે.


મળતી વિગતો પ્રમાએમ 80 વર્ષીય વૃદ્ધાને કોરોના તો હતો. જ સાથે સાથે તેઓ ડાયાબીટીસ અને બ્લેડપ્રેશરથી પણ પીડાતા હતા. જોકે, આમ છતાં તેઓએ કોરોનાને મ્હાત આપી છે. દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેઓ સારવાર લીધા પછી સ્વસ્થ થયા છે. દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને રજા અપાઇ છે. જ્યારે આઠ દર્દીઓ સારવાર હેઠળ છે.