વડોદરા: આંગણવાડીમાં આપવામાં આવતા પોષણયુક્ત આહારના બાળ શક્તિ પેકેટને લઈને સવાલો સામે આવ્યા છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસા માલા કબ્રસ્તાન બોયઝ રિમાન્ડ હોમ ન પાછળ રહેતા પરમાર પરિવારમાં માતા-પિતા અને તેમની બે દીકરી છે. બે વર્ષીય દીકરી માટે આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિનું ફૂડ પેકેટ આપવામાં આવે છે. 


જે પેકેટ વિતરણ સમયે જ એક્સપાયરી ડેટવાળું આપ્યું હોવાના ચોકાવનારા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે એક્સપાયરી ડેટવાળું બાળ શક્તિ ફૂડ ખાવાથી પરિવારની બંને દીકરીની તબિયત લથડી હતી. બાળકીની સારવાર કરાવ્યા બાદ આજે અચાનક બાળકી તે પેકેટ લઈને રમતી હતી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. પરમાર પરિવારે સરકારને અનુરોધ કર્યો છે કે આ બાબતની નોંધ સરકારે ગંભીરતાથી લેવી જોઈએ જેથી અન્ય કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર આ વાકનો ભોગ ન બને. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આજ પ્રકારના એક્સપાયરી ડેટવાળા બાળ શક્તિ ફૂડ પેકેટ આસપાસ રહેતા નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યા હોવાની બાબત તેમના ધ્યાને આવી છે.


આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં


જામનગર: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરની મુલાકાત લેશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરમાં પહોંચશે. સીએમ ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન અને સારવાર સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મનપા સંચાલિત રસીકરણ અને સારવાર કેન્દ્રની પણ મુલાકાત લેશે. લમ્પી ગ્રસ્ત સારવાર લઈ રહેલા પશુ વિભાગની મુલાકાત લેશે. ત્યાર બાદ સીએમ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. જામનગરમાં સીએમના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. 


તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતમાં આવશે અને લોકો સાથે મુલાકાત કરશે.


તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.. આજે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડિલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી.


મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે. હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.