વડોદરાઃ વડોદરામાં સોમવારે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાનો ચેપ હોય તેવા દર્દીઓની સંખ્યા છ પર પહોંચી છે. ગુજરાતમાં મોટા ભાગના કેસોમાં વિદેશ ગયેલા કે વિદેશીઓના સંપર્કમાં આવેલાં લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે. વડોદરામાં પણ આ જ કારણે કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે.


વડોદરાથી 12 લોકોનું ગ્રુપ શ્રીલંકાના પ્રવાસે ગયું હતું. આ ગ્રુપમાંથી એક પતિ-પત્નિને કોરોનાવાયરસનો તેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેના પગલે તેમના પરિવારના રીપોર્ટ કરાતાં પુત્રી તથા પુત્રવધૂનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આણ વડોદારાના છ દર્દી પૈકી ચાર વ્યક્તિ તો એક જ પરિવારની હોવાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

આ રીપોર્ટના પગલે સરકારી તંત્રે ત્વરિત કામગીરી કરીને શ્રીલંકા ગયેલા ગ્રુપના તમામ લોકો અને આ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે.