દાહોદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે દાહોદથી એક સારા સમાચાર આવ્યા છે, જે વાંચીને તમે ખુશ થઈ જશો. વાત એવી છે કે, દાહોદમાં 35 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપ્યા બાદ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. સગર્ભા મહિલાએ 13 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં , એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે.


મહિલા કોરોના, હાઈ બી.પી., ડાયાબિટીસ જેવી વ્યાધિઓ પછી પણ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલમાં સતત ડોક્ટરની ટિમની દેખરેખ હેઠળ હતા. ગુજરાતમાં હાલ, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આ સમાચારથી દાહોદના લોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.