ગોધરાઃ ઉત્તરાખંડથી વડોદરાથી જઈ રહેલ કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. ગોધરા લુણાવાડા હાઇવે પર શહેરા પાસે આવેલા એચપી પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા એક્ટિવા ચાલકને બચાવવા જતા XUV કાર ડીવાયડર સાથે અથડાઈ હતી.  


અકસ્માતની ઘટનામાં હાઈવે વચ્ચે આવેલ લોખંડનું ડીવાઈડર XUV કારની આરપાર ઘુસી ગયું હતું. તેમજ કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલકને ઇજા થતાં શહેરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતને પગલે લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 


વડોદરા સ્વીટી પટેલ મીસિંગ કેસઃ ગમે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે મોટો ધડાકો, શું હાથ લાગ્યા મોટા પુરાવા?


વડોદરાઃ સ્વીટી પટેલ મીસિંગ કેસમાં એક જ અઠવાડિયામાં મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈની પત્ની ગુમ સ્વીટી પટેલ છેલ્લા દોઢ માસથી ગુમ છે. ગૃહ વિભાગ દ્વારા તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSને આપ્યા પછી આ કેસમાં પહેલી સફળતા હાથ લાગી છે. પીઆઈ અજય દેસાઈના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા છે.  


સ્વીટી પટેલ અને અજય દેસાઈ કરજણના જે ઘરમાં રહેતા હતા તેના બાથરૂમમાંથી લોહીનાં ડાઘા મળ્યા છે. તપાસ ટીમે લોહીનાં નમૂના ગાંધીનગર fsl ખાતે મોકલ્યા છે. એક સપ્તાહમાં સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો થવાની શક્યતા છે. સેમ્પલને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ ખુલાસો થશે. પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા છે. 


પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં હજુ પણ કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપી હતી. 


બીજી તરફ અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. જોકે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇનકાર કરી દીધો હતો. તમામ તૈયારી બાદ અજય દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવા ઇન્કાર કરી દીધો હતો. ગઈ કાલે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ ગાંધીનગર એફએસએલ પહોંચી હતી. અગાઉ અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શહેર ન છોડવા આદેશ કર્યો હતો. નાર્કો ટેસ્ટ ન કરાવવાનું કારણ અજય દેસાઇ દ્વારા જણાવાયું હતું. 


નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.


અગાઉ દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું હતું. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. 



અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ - નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો હતો. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 45 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં.