વડોદરાઃ કરજણના કોલીયાદ ગામે રાત્રે 3 બાળકો ગૂમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સવારે 3 બાળકોના મૃતદેહ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવતાં નાના ગામમાં હાહાકાર મચી ગયો છે. મૃત બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતક બાળકો રબારી પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. બાળકોના મોત થતાં પરિવાર પર આભા ફાટ્યું છે.