ગુજરાતની કઈ જાણીતી નદી બની શકે છે આફત, નદીની સપાટી ભયનજક સપાટીની નજીક પહોંચી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Sep 2020 08:39 AM (IST)
ઉપરવાસના વરસાદ વડોદરા માટે આફત બની શકે છે. વડોદરામાં પ્રતાપપુરા અને આજવા સરોવરની ઉપરવાસના વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટીથી ખૂબ નજીક છે.
ઉપરવાસના વરસાદ વડોદરા માટે આફત બની શકે છે. વડોદરામાં પ્રતાપપુરા અને આજવા સરોવરની ઉપરવાસના વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટીથી ખૂબ નજીક છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસવાના શરૂ થયા છે તો પાણીની સતત આવકના કારણે આજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે વિશ્વામિત્રિ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. જેને લઈને નદી કાંઠાના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજવા સરોવરની સપાટી 212.30 ફૂટ છે જ્યારે પ્રતાપપુરા સરોવરની સપાટી છે 227.30 ફૂટ પર છે. પાલિકાએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યાં છે.