અમદાવાદમાં બચત ભવનના સરકારી કર્મચારીનું  ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા  નિધન થયું છે. વસંત રાઠોડ નામના સરકારી કર્મચારીએ જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કર્મીની ટીમ વચ્ચેની મેચમાં ભાગ લીધો હતો અને બોલિંગ કરતી વખતે તે અચાનક મેદાન પર ઢળી પડ્યો અને તેનું નિધન થયું છે.


રાજ્યમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું છે. ચાલું ક્રિકેટ મેચ દરમિયાન આ યુવક બોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થયો અને તે અચાનક મેદાનમાં પડી ગયા અને બાદ તેને હોસ્પિટલ લઇ જવાયા પરંતુ કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. તબીબોએ મોતનું કારણ હાર્ટ અટેક દર્શાવ્યું છે.


યુવક બેભાન થયા બાદ તેને ભાડજ ડેન્ટલ કોલેજમાં યુવકને સારવાર અર્થે લઇ જવાયા હતા અહીં સારવાર દરમિયાન તેનું નિધન થયું છે. મૃતક પાટડીના ધામા ગામનો વતની હતી. ક્રિકેટ રમતા રમતા તે બેભાન થઇને ઢળી જાય છે. તે સમગ્ર ઘટના કેમરામાં કેદ થઇ ગઇ હતી.


જિગ્ગનેશ ચોહાણ ક્રિકેટ રમતા મોત



આ પહેલા આવી  જ ઘટના રાજકોટમાં પણ બની હતી જ્યાં  મીડિયા ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં  રમત દરમિયાન 31 વર્ષીય યુવાન જીગ્નેશ ચૌહાણ નામના યુવાનોનું ક્રિકેટ રમતી વખતે  હાર્ટ અટેક આવી ગયો અને અને નિધન થઇ ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ડાન્સ, ક્રિકેટ કે પછી જિમમાં વર્કઆઉટ દરમિયાન મોતના કિસ્સા સતત વધી રહ્યાં છે. કોમેડિયન રાજુ  શ્રીવાસ્તવ, સિદ્ધાર્થ શુક્લનું પણ જિમમાં હાર્ડ વર્કઆઉટના કારણે હાર્ટ અટેક આવતા નિધન થયું હતું.  આ કિસ્સા વારંવાર બનતા ડોક્ટર તરફથી પણ એવી સલાહ અપાવમાં આવે છે કે, જિમમાં હાર્ડ વર્ક કે કોઇ પણ હાર્ડ ફિઝિકલ એક્ટિવિટી કરતા પહેલા કેટલાક ટેસ્ટ કરાવવા હવે જરૂરી બની ગયા છે. તેમજ થોડું પણ અસહજ મહેસૂસ થાય કે છાતીમાં દુખાવો થાય તો ફિઝિકલ એક્ટવિટી એ જ સમયે સ્ટોપ કરી દેવાની તબીબ દ્રારા સલાહ અપાવમાં આવે છે.


sonia-gandhi: સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત, કહ્યું, મારી કારકિર્દી....


Congress 85th Preliminary Session: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે.


Congress 85th Preliminary Session: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાયબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપી દીધી છે. જો કે, હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શાસક હરીફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક બંધારણીય સંસ્થાનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસએ દેશની એક-એક સંસ્થા પર કબજો જમાવ્યો છે અને તે સંસ્થાઓને બરબાદ કરવાનું કામ કરી રહ્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કર્યું છે.