નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલે મંગળવારે જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ રહેશે કે, રસીનું પરીક્ષણ સફળ થતાં જ તેનું ઉત્પાદન અને રસીકરણનું કામ મોટા પાયે શરૂ કરવામાં આવે. ડો. પોલ પ્રમાણે ભારતની જનસંખ્યાને ધ્યાને રાખીને આ ખૂબ જ મોટું કામ હશે. કેમકે, આ રસી દેશના પ્રત્યેક નાગરિકને આપવી પડશે. સામાન્ય રીતે કોઈ ફણ રસી બાળકોને એક ખાસ ઉંમર સુધી અપાય છે.
ડો. પોલે જણાવ્યું હતું કે, ઓક્સફર્મા ચાલી રહેલા રસીના પરીક્ષમમાં ભારતની વેક્સીન બનાવનારી સૌથી જૂની કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ પણ સામેલ છે. પરીક્ષણ સફળ થયા પછી તેના ઉત્પાદનને લઈને ઓક્સફર્ડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટે કરાર કર્યા છે. પોલ પ્રમાણે સીરમ કંપની વેક્સીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, જેવું રસીનું ઉત્પાદન શરૂ થશે અને ઉપલબ્ધ થવા લાગશે કે તરત તે લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવાશે. ડો. પોલે ઉમેર્યુ ંહતું કે, અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે, રસની જરૂરિયાત કયા કયા લોકોને અને કેટલી માત્રામાં પડશે.
ડો. પોલે કોરોના રસી લોકો સુધી પહોંચડવાના કામની તુલના દેશમાં થનારી ચૂંટણી સાથે કરી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સરકાર એક-એક વ્યક્તિ સુધી પહોંચે છે. તેવી જ રીતે રસીકરણમાં પણ પહોંચશે. ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીન તૈયાર થયા પછી તેને લોકો સુધી પહોંચાડવાની તૈયારી અંગે એક બેઠક પણ કરી હતી.