Chandrayaan-3 Mission:ISRO 14 જુલાઈ 2023 ના રોજ એટલે કે આજે  તેનો ડ્રીમ પ્રોજેક્ટ ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 પૃથ્વી પરથી 2.35 વાગ્યે ચંદ્ર તરફ પ્રયાણ કરશે. લગભગ 45 થી 50 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે.


 સેફ અને સોફ્ટ લેન્ડિંગ


ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડ઼િંગનો છે.  આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ચોક્કસ ઉતરાણ હાંસલ કરવામાં ભારતની તકનીકી ક્ષમતાઓનું પ્રદર્શન પણ છે.


 રોવર એક્સપ્લોરેશન


ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર એક રોવર તૈનાત કરશે જે ચંદ્રના પર્યાવરણ વિશે મૂલ્યવાન ડેટા એકત્રિત કરશે.


 ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો


ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો છે. આ પ્રયોગો ચંદ્રની સપાટીની રચના, ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓ અને અન્ય લાક્ષણિકતાઓ વિશે માહિતી પ્રદાન કરશે.


 તકનીકી પ્રગતિ


ચંદ્રયાન-3ને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે અવકાશયાન એન્જિનિયરિંગ, લેન્ડિંગ સિસ્ટમ્સ અને ખગોળીય પિંડોની ગતિશીલતા અને  ક્ષમતાઓના વિકાસમાં પણ મદદ કરશે.


 ચંદ્ર દક્ષિણ ધ્રુવની શોધ


ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ મિશન હશે. આ ક્ષેત્ર તેમના સ્થાયીરૂપવાળઆ ક્ષેત્રના કારણે વિશેષ રૂચી દાખવે છે.  જેમાં પાણીનો બરફ હોવાનું અનુમાન છે. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય આ અજાણ્યા પ્રદેશની વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્ર અને સંરચનાનો અભ્યાસ કરવાનો છે.


 લેન્ડિંગ સાઇટ લાક્ષણિકતા


ચંદ્રના દક્ષિણ ધ્રુવના પર્યાવરણનું વિશ્લેષણ, જેમાં થર્મલ વાહકતા અને રેગોલિથ ગુણધર્મો જેવા પરિબળોનો સમાવેશ થાય છે, તે ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને શોધવામાં મદદ કરશે. આ માહિતી ભવિષ્યના ચંદ્ર મિશન અને સંભવિત માનવ સંશોધન માટે મહત્વપૂર્ણ રહેશે.


 વૈશ્વિક વૈજ્ઞાનિક સહયોગ


થર્મલ ક્ન્ડટિવિટી  અને રિજોલિથ ગુણો જેવા કારક સહિત ચંદ્ર દક્ષિણ ધ્રૂવ પર્યાવરણનું વિશ્લેષણ કરીને  આ યાન લેન્ડિગ સાઇટની શોધવાનું કામ કરશે.  આ મિશન ભવિષ્યના ચંદ્ર મિશનો અને સંભવિત માનવીય અન્વેશણ માટે પણ મહત્વપૂર્ણ નિવડશે.


 આર્ટેમિસ-III મિશન માટે સમર્થન


ચંદ્રયાન-3 દ્વારા દક્ષિણ ધ્રુવનું સંશોધન યુનાઈટેડ સ્ટેટ્સની આગેવાની હેઠળના આર્ટેમિસ-III મિશનના ઉદ્દેશ્યોને અનુરૂપ છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારવાનો છે. ચંદ્રયાન-3 દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા ભાવિ આર્ટેમિસ મિશન માટે મૂલ્યવાન બની રહેશે


 ચંદ્ર પર સંશોધન ચાલુ રાખવું


ચંદ્રયાન-3 ચંદ્ર સંશોધન માટે ભારતની સતત પ્રતિબદ્ધતા અને ચંદ્ર વિશે માનવતાના જ્ઞાનને વિસ્તારવામાં તેના યોગદાનનું પ્રતિનિધિત્વ કરે છે.


શું છે ચંદ્રયાન-3 મિશન?


ચંદ્રયાન-3 મિશન એ વર્ષ 2019માં કરવામાં આવેલા ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે. આ મિશનમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળશે. જેના દ્વારા માહિતી એકત્ર કરવામાં આવશે.


 ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 વચ્ચે શું તફાવત છે?


ચંદ્રયાન-2માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3માં ઓર્બિટરને બદલે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે. જરૂર પડશે તો ચંદ્રયાન-2ના ઓર્બિટરની મદદ લેવામાં આવશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રયાન-3ના લેન્ડર-રોવરને ચંદ્રની સપાટી પર રાખશે, જે ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર ચક્કર લગાવશે. આ સંચાર માટે હશે.