અમદાવાદઃ ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે.

  આ કેસ રાષ્ટ્રીય સ્તરે પણ ગાજી રહ્યો છે ત્યારે અભિનેત્રી કંગના રણૌતે પણ પોતાના ફેસબુક પેજ પર કિશન ભરવાડની હત્યાના સંબંધમાં પોસ્ટ મૂકી છે.


કંગના રણૌતે લખ્યું છે કે,


ભરવાડની હત્યા મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેને લાગતું હતું કે ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી.  ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની જરૂર છે, આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન 27 વર્ષનો હતો અને તેની બે મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. કિશને એ કર્યું છતાં તેને 4 લોકોએએ નિર્દયતાથી મારી નાખ્યો, તે શહીદથી ઓછો નથી. કિશન દરેક વ્યક્તિની આઝાદી માટે મોતને ભેટ્યા છે, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે... તેની વિધવાને પેન્શન મળવું જોઈએ,


કિશન ભરવાડ હત્યા કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરાઈ છે. આ કેસમાં હત્યા માટે મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની  પોલીસે ધરપકડ કરી છે. 


ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી હતી. મૌલવીએ હત્યા માટે બંને આરોપીઓને ઉશ્કેર્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.


આ હત્યા કેસમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની સંડોવણીની આશંકા સેવાઈ રહી હતી અને તેના  કારણે સમગ્ર તપાસ ATSને સોંપી દેવામાં આવી છે. મુંબઈનો મૌલાના કમરના પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ થયો છે.  


આ  પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરૂદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનના ભડકાવનારાં ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની થયેલી મિટીંગના સંદર્ભમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. હવે આ જેહાદી ષડયંત્રની સમગ્ર તપાસ ATS કરી રહી છે. આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેકશન શોધવા સાત ટીમ ગુજરાત સરકાર તરફથી રચના કરવામાં આવી.