કેનેડામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓના મોત, જાણો વિગત
abpasmita.in | 02 Sep 2019 06:00 PM (IST)
ચાર મિત્રો વીકેન્ડમાં ફરવા ગયા હતા ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ મિત્રોના મોત થયા હતા.

ભરૂચ: ગુજરાતીઓમાં છેલ્લા થોડા મહિનાઓથી અમેરિકા જવાના બદલે કેનેડા જવાનું ચલણ વધ્યું છે. કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા ત્રણ યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. યુવાનોના મોત થયાની ગુજરાતમાં રહેતા પરિવારજનોને જાણ થતાં જ ગમગીની છવાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, ચાર મિત્રો વીકેન્ડમાં ફરવા ગયા હતા ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ મિત્રોના મોત થયા હતા. જંબુસર, ભરૂચ, અંકલેશ્વરના યુવાનો કેનેડામાં અભ્યાસ અર્થે ગયા હતા પરંતુ તેમને કાળ ભરખી ગયો હતો. મૃતક યુવકો પૈકી જંબુસરના યુવકનું નામ જેનિષ રાણા હોવાનું જાણવા મળ્યું છે. ‘ઢબુડી મા’એ અમદાવાદના બંગલાનો ભાડા કરાર કોના નામે કરાવ્યો હતો ? જાણો વિગતેકુલભૂષણ જાધવને સીક્રેટ જગ્યાએ મળ્યા ડેપ્યુટી હાઈ કમિશ્નર, અઢી કલાક ચાલી વાતચીત, જાણો વિગતJioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા