Bangladesh crisis news: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ દેશ ગંભીર બાંગ્લાદેશ કટોકટી (Bangladesh Crisis) માંથી પસાર થઈ રહ્યો છે. શેખ હસીનાના રાજીનામા અને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર વચ્ચે લઘુમતીઓના અધિકારો ચર્ચાનો વિષય બન્યા છે. આવા સમયે એક મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આપણા પડોશી દેશની સેનામાં હિન્દુઓ જોડાઈ શકે છે? કાયદો શું કહે છે અને વાસ્તવિક આંકડા શું છે? ચાલો વિગતવાર જાણીએ.

Continues below advertisement

હાલમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને સામાજિક તણાવ ચરમસીમા પર છે. સત્તાપલટા બાદ લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા અને સરકારી સંસ્થાઓમાં તેમના સ્થાનને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ માહોલ વચ્ચે સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન એ છે કે શું બાંગ્લાદેશ આર્મી (Bangladesh Army) માં હિન્દુઓ માટે દરવાજા ખુલ્લા છે કે કેમ?

શું સેનામાં જોડાવા માટે ધર્મ અવરોધરૂપ છે? 

Continues below advertisement

સત્તાવાર અને કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો, બાંગ્લાદેશની સેનામાં જોડાવા માટે ધર્મ કોઈ બાધ નથી. બાંગ્લાદેશના બંધારણ અને ભરતી નિયમો (Recruitment Rules) અનુસાર, દેશનો કોઈપણ લાયક નાગરિક સેનામાં સેવા આપી શકે છે. પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ હોય કે ખ્રિસ્તી. સેનામાં પસંદગીની પ્રક્રિયા ધાર્મિક ઓળખ પર નહીં, પરંતુ રાષ્ટ્રીયતા, શિક્ષણ, શારીરિક ક્ષમતા અને મેડિકલ ફિટનેસ પર આધારિત હોય છે. એટલે કે, કાગળ પર કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ નથી.

ભરતી માટેના નિયમો અને પાત્રતા 

જો કોઈ હિન્દુ યુવક બાંગ્લાદેશ આર્મીમાં જોડાવા માંગતો હોય, તો તેણે અમુક શરતો પૂરી કરવી પડે છે:

ઉમેદવાર જન્મથી બાંગ્લાદેશી નાગરિક (Bangladeshi Citizen) હોવો જોઈએ.

ઓફિસર રેન્ક માટે અરજી કરતી વખતે ઉમેદવાર અપરિણીત હોવો જરૂરી છે.

સામાન્ય સૈનિક તરીકે ભરતી થવા માટે વય મર્યાદા સામાન્ય રીતે 17 થી 20 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે.

વાસ્તવિકતા: સેનામાં કેટલા હિન્દુ સૈનિકો છે? 

ભલે નિયમો સમાન હોય, પરંતુ વાસ્તવિક આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. બાંગ્લાદેશ આર્મી ક્યારેય પોતાના જવાનોનો ધર્મ આધારિત સત્તાવાર ડેટા જાહેર કરતી નથી. તેથી ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે. વર્ષ 2022 ની વસ્તી ગણતરી મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી (Hindu Population) કુલ વસ્તીના આશરે 7.9% થી 8% જેટલી છે. પરંતુ બિનસત્તાવાર અંદાજો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, સેનામાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ માત્ર 3% થી 4% ની આસપાસ જ હોવાનું મનાય છે.