Abu Dhabi BAPS Hindu Temple: સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. 30 દેશોના રાજદૂતો BAPS હિંદુ મંદિરને જોવા માટે પહોંચ્યા હતા.  UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીરે આ માહિતી આપી હતી.






 


સંજય સુધીરે યુએઈના નેતૃત્વની દ્રષ્ટિ અને બહુસાંસ્કૃતિક અને શાંતિપૂર્ણ પ્રયાસોને દેશમાં એક મોડેલ બનાવવા માટેના વધુ સારા પ્રયાસોના સંકલનનું વિઝન વર્ણવ્યું હતું. BAPS મંદિરની મુલાકાત લેનાર 30 દેશોના રાજદૂતો ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી. આ રાજદૂતોની મુલાકાતનો હેતુ આંતર-સાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપવાનો અને હિન્દુ મંદિરની પ્રગતિ જોવાનો હતો.






એમ્બેસેડર આર્ટવર્ક જોઈને આશ્ચર્યચકિત થયા


એટલું જ નહીં, આ રાજદ્વારીઓએ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.  દરમિયાન, તમામ રાજદૂતોએ મંદિરની દિવાલો પરની અદભૂત કલાકૃતિને નજીકથી નિહાળી હતી. આ સાથે તેઓ મંદિરની કલાકૃતિ જોઈને પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સંજય સુધીરે કહ્યું હતું કે આ મંદિર UAEમાં રહેતા ભારતીય સમુદાયની આસ્થાની સામૂહિક આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.


ભારતીય એમ્બેસીએ ટ્વીટ કર્યું






UAE માં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે BAPS મંદિર શાંતિ અને સદભાવનું પ્રતિક બનશે. 30 થી વધુ દેશોના નિવાસી રાજદૂતો અને રાજદ્વારીઓએ મંદિરનની મુલાકાત લીધી હતી અને વિશ્વભરની સંસ્કૃતિઓમાંથી ઉત્કૃષ્ટ કોતરણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”


ખલીજ ટાઈમ્સના સમાચાર અનુસાર, ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, ઈન્ડોનેશિયા, ઈઝરાયેલ, બ્રાઝીલ, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને નાઈજીરીયાના રાજદ્વારીઓ અને મિશનના પ્રતિનિધિઓ પણ મંદિરના દર્શન માટે આવ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદી પોતે મંદિરના નિર્માણ કાર્ય સાથે જોડાયેલી માહિતી લે છે. PM એ મંદિર નિર્માણ પ્રોજેક્ટને ભારત અને UAE વચ્ચેના ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંધનોનું પ્રતીક ગણાવ્યું છે.