કરાચીઃ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના 'કસાઇ' ગણાવ્યા છે. બિલાવલે આરોપ લગાવ્યો કે કાશ્મીર ખીણમાં કરવામાં આવતા અત્યાચાર પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યાં છે.


કરાચીના કારસાજમાં રવિવારે એક રેલીમાં ભુટ્ટોએ કહ્યું કે, મોદી અતિવાદી છે. તેમણે વધુમાં કહ્યું કે મોદી કટ્ટરપંથી છે અને તેમની પાસેથી કોઇ અપેક્ષા રાખી ન શકાય. જીઓ ટીવીના રિપોર્ટ મુજબ બિલાવલે કહ્યું છે કે મોદી કાશ્મીરમાં થઇ રહેલા અત્યાચારોથી ધ્યાન હટાવવા હેતુસર પાકિસ્તાનમાં આક્ષેપ મૂકતા રહ્યા છે. તેમણે કહ્યું કે કાશ્મીરીઓ આત્મનિર્ણયના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે.