બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધની આગે શેખ હસીનાની ખુરશી છીનવી લીધી. ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન બુધવારે બાંગ્લાદેશ પરત ફરી રહ્યા છે. તારિક સાંજે ઢાકામાં એક રેલીમાં ભાગ લેશે. તારિક લંડનમાં રહેતો હતો. શેખ હસીનાના દેશ છોડીને ભાગી ગયા બાદ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવામા આવ્યા હતા.


બાંગ્લાદેશમાં 15 વર્ષથી સત્તામાં રહેલી શેખ હસીના પોતાનો દેશ છોડીને ભારતમાં છે. શેખ હસીનાના ગયા પછી બાંગ્લાદેશમાં સેનાનું શાસન છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના એક્ટિંગ ચેરમેન તારિક રહેમાન બાંગ્લાદેશમાં આ બળવા પાછળ સામેલ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બાંગ્લાદેશ પરત ફરી શકે છે. અહેવાલો અનુસાર, તારિક રહેમાન લંડનમાં રહે છે. આ આરોપો પછી એ જાણવું જરૂરી બની ગયું છે કે તારિક રહેમાન કોણ છે અને બાંગ્લાદેશમાં તેમનું કદ શું છે.


તારિક રહેમાન બીએનપીના એક્ટિંગ અધ્યક્ષ છે. તેઓ ફેબ્રુઆરી 2018થી આ પદ પર છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. ઝિયા ઉર રહેમાન બાંગ્લાદેશના 7મા રાષ્ટ્રપતિ હતા. જ્યારે ખાલિદા ઝિયા દેશના 10મા વડાપ્રધાન હતા. એટલું જ નહીં તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.


બીએનપીના સૌથી શક્તિશાળી નેતા


20 નવેમ્બર 1965ના રોજ જન્મેલા તારિક રહેમાને ખૂબ જ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. 2018માં ઢાકા ગ્રેનેડ હુમલામાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાંગ્લાદેશમાં તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બાંગ્લાદેશમાં BNP સત્તા પર હતી ત્યારે તારિક રહેમાન પ્રખ્યાત હતા. ખાલિદા ઝિયા પછી તેઓ BNPના સૌથી શક્તિશાળી નેતા છે.


તેમની માતા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.  તેમણે બોગુરામાં પાયાના સ્તરેથી નેતાઓને ચૂંટવાની લોકશાહી પ્રક્રિયાની શરૂઆત કરી, જ્યાં તેઓ BNP એકમના કાર્યકારી સભ્ય હતા. તેઓ 2009માં BNPના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને ધીમે ધીમે BNPના પુનર્ગઠનમાં સામેલ થયા હતા. જ્યારે ખાલિદા ઝિયાને 2018 માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ત્યારે તારિક રહેમાનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ શેખ હસીના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.


આર્મી ઓફિસરની દીકરી સાથે લગ્ન


1994માં તારિક રહેમાને બાંગ્લાદેશના ભૂતપૂર્વ નેવી ચીફ અને ત્યાર પછીની સરકારોમાં બે વખત મંત્રી રહેલા સ્વર્ગસ્થ રિયર એડમિરલ મહબૂબ અલી ખાનની પુત્રી ડૉ. ઝુબૈદા રહેમાન સાથે લગ્ન કર્યા. ઝુબૈદા રહેમાન એક કાર્ડિયોલોજિસ્ટ છે અને તેમણે ઢાકા મેડિકલ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેઓને જૈમા જરનાઝ રહેમાન નામની પુત્રી છે.