Pakistan Bus Fire News: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પ્રાંતના પિંડી ભટ્ટિયાન શહેરમાં રવિવારે સવારે એક બસમાં આગ લાગી હતી. આ બસમાં લાગેલી આગમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું છે કે બસમાં 40 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જે અકસ્માતનો ભોગ બની હતી. સળગતી બસની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ આગની જ્વાળામાં લપેટાયેલી જોઈ શકાય છે.


જિયો ન્યૂઝના અહેવાલ મુજબ,   જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચી જઈ રહી હતી. બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે બસ પિંડી ભટ્ટિયાન પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. અહીં પહોંચતા જ બસમાં અચાનક આગ લાગી ગઈ. બસમાંથી ઉંચી જ્વાળાઓ નીકળી રહી હતી. આગ એટલી ભયાનક હતી કે આખી બસ બળીને રાખ થઈ ગઈ હતી.


કેવી રીતે થયો અકસ્માત?


પોલીસ દ્વારા અકસ્માતનું કારણ પણ આપવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે બસ પોતાની ગતિએ જઈ રહી હતી ત્યારે તે પિક-અપ વાન સાથે અથડાઈ હતી. આ વાનમાં ડીઝલનો મોટો જથ્થો હતો. આ જ કારણે ટક્કર બાદ તરત જ બસમાં આગ લાગી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં અનેક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ખૈબર પખ્તુનખ્વામાં બ્લાસ્ટમાં 11 મજૂરોના મોત


આ પહેલા ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વજીરિસ્તાનના શવાલ તહસીલમાં પણ મોટી દુર્ઘટના થઈ હતી. અહીં એક વાનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 11 મજૂરોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બે મજૂરો પણ ઘાયલ થયા છે. વિસ્ફોટ શૈવલ તહસીલના ગુલ મીરકોટ પાસે થયો હતો. લશ્કરી કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે IED બ્લાસ્ટ થયો, જેમાં નિર્દોષ મજૂરો પણ તેની ઝપેટમાં આવી ગયા.