Israel Hezbollah War: મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે દિવસેને દિવસે તણાવ વધતો જ જાય છે. આ દરમિયાન રવિવારે (22 સપ્ટેમ્બર 2024) લેબેનોને ઇઝરાયેલ પર 100થી વધુ મિસાઇલો દાગી છે. અલ જઝીરાના અહેવાલ મુજબ IDF એ જણાવ્યું કે હિઝબુલ્લાહના આ હુમલા પછી ઉત્તર ઇઝરાયેલની શાળાઓ બંધ કરવી પડી અને લાખો લોકોને આશ્રય લેવો પડ્યો.


લશ્કરી હવાઈ મથકને બનાવ્યું નિશાન


ઇઝરાયેલી સેનાએ દેશના ત્રીજા સૌથી મોટા શહેર હાઇફા સહિત ઉત્તર ઇઝરાયેલમાં મોટા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ મુજબ રવિવારે ઇઝરાયેલમાં થયેલા રોકેટ હુમલાઓથી કોઈના મૃત્યુ કે કોઈ મહત્વપૂર્ણ નુકસાનના કોઈ સમાચાર નથી. ઇઝરાયેલી મીડિયા મુજબ હિઝબુલ્લાહે ઇઝરાયેલના ઉત્તરીય વિસ્તારમાં સ્થિત લશ્કરી હવાઈ મથકને નિશાન બનાવ્યું. આ હુમલા સાથે જ સમગ્ર વિસ્તારમાં અને કબજા હેઠળના ગોલાન હાઇટ્સ અને ઉપર ગેલિલીના વિવિધ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા. આ હુમલાથી ઘણી ઇમારતોને નુકસાન થયું અને કારોમાં આગ લાગી ગઈ.


ઇઝરાયેલની હિઝબુલ્લાહને ચેતવણી


અલ જઝીરાના અહેવાલ મુજબ આ પહેલાં શનિવારે (21 સપ્ટેમ્બર 2024) ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં સેંકડો હવાઈ હુમલા કર્યા. IDF એ રવિવારે સવારે લેબેનોનના 110 અન્ય સ્થળો પર હુમલા કરવાનો પણ દાવો કર્યો. આ ઉપરાંત રવિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ સ્વીકાર્યું કે તેમની સેનાએ હિઝબુલ્લાહ વિરુદ્ધ ઘણા હુમલા કર્યા.






વડાપ્રધાન નેતાન્યાહુએ હિઝબુલ્લાહને ચેતવણી આપતા કહ્યું કે તેલ અવીવે તાજેતરના દિવસોમાં લેબેનોનમાં સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ પર એવા હુમલા કર્યા છે, જેની તે કલ્પના પણ કરી શકતું નથી. આ દરમિયાન ઇઝરાયેલના રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટે સોગંદ લીધા કે હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયેલનો હુમલો ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઉત્તર ઇઝરાયેલના રહેવાસીઓ સુરક્ષિત ઘરે પાછા નથી ફરતા.


નેતન્યાહુએ કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં અમે હિઝબુલ્લાહ પર એ રીતે હુમલો કર્યો છે જેની તેઓ કલ્પના પણ ન કરી શકે. જો હિઝબોલ્લાહ સંદેશને સમજી શક્યો નથી, તો હું તમને વચન આપું છું કે તે સમજી શકે. ઇઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેતન્યાહુના સંબોધનના થોડા સમય પહેલા રક્ષા મંત્રી યોવ ગેલન્ટે ઇઝરાયલી એરફોર્સના કંટ્રોલ એન્ડ એટેક સેન્ટરની મુલાકાત લીધી હતી." ગેલેન્ટે કહ્યું કે, હિઝબુલ્લાહ અમારી કેટલીક ક્ષમતાઓનો અહેસાસ કરવા લાગ્યો છે.


આ પણ વાંચોઃ


મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને કારણે પાપ થયું છે - શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન