પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારત તરફથી મળેલા ગોલ્ડ મેડલ વેચી દીધા હતા. આ મેડલ ઈમરાન ખાનને ત્યારે મળ્યો હતો જ્યારે તે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ હતા. તેણે તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. રક્ષા મંત્રીએ કહ્યું કે તેમને આ વિશે એક કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે પીટીઆઈના અધ્યક્ષે તેમને ભારત તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી દીધો હતો.


ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પોતાને મળેલી ગિફ્ટ વેચી દેવાના કારણે લોકોના નિશાન પર છે. ઈમરાન ખાનને ભેટમાં આપેલી મોંઘી ઘડિયાળના વેચાણની વાત પણ સામે આવી છે. આ પહેલા પણ ઈમરાન પર ગિફ્ટ વેચવાનો આરોપ લાગ્યો હતો. જોકે, આસિફ પાસે ભૂતપૂર્વ ક્રિકેટર દ્વારા કથિત રીતે વેચવામાં આવેલા ગોલ્ડ મેડલ વિશે કોઈ વિગતો નથી.


મીડિયા અહેવાલો અનુસાર, 8 સપ્ટેમ્બરના રોજ પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન ઇમરાન ખાને એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી દીધી હતી.


રાજકુમારે આપેલી ઘડિયાળ વેચી


બીજી તરફ, પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, એક પ્રખ્યાત ઉદ્યોગપતિએ કબૂલાત કરી છે કે તેમણે આ ઘડિયાળ ઈમરાન ખાનની પત્નીના મિત્ર પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદી હતી. આ વોચ ઈમરાન ખાનને સાઉદી ક્રાઉન પ્રિન્સ દ્વારા આપવામાં આવ્યું હતું.


દરમિયાન નેશનલ એસેમ્બલીના સત્રને સંબોધિત કરતી વખતે સંરક્ષણ પ્રધાને ખાન પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન સત્તા માટે પાગલ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ખાને તે સંસ્થાઓને નિશાન બનાવવી જોઈએ નહીં જેણે તેમને છેલ્લા ચાર વર્ષમાં બિનશરતી સમર્થન આપ્યું હતું. આસિફે કહ્યું કે પીટીઆઈ અધ્યક્ષ તેમને સમર્થન આપનારી સંસ્થાઓ દ્વારા મદદ કરવા છતાં કંઈ કરી શક્યા નથી.


 હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર


ગાંધીનગર:  હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.  જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.  કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.
આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે.  બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી.  ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી.  બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે