Israel-Lebanon Conflict Row: ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષ વચ્ચે લેબનોનમાં ઇઝરાયેલ કમાન્ડર સહિત 15 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે (2 ઓક્ટોબર, 2024), ઇઝરાયેલી સૈન્યએ માહિતી આપી કે તેમની ટીમના કમાન્ડરનું લેબનોનમાં મોત થયું છે. લેબનોનમાં ઘૂસણખોરી કર્યા પછી ઇઝરાયેલ દ્વારા જાહેર કરાયેલ આ પ્રથમ યુદ્ધ-સંબંધિત મૃત્યુ છે. સમાચાર એજન્સી 'રોયટર્સ' અને 'સ્કાય ન્યૂઝ'ના અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ 22 વર્ષીય કેપ્ટન ઈતાન ઈત્ઝાક ઓસ્ટર (Captain Eitan Itzhak Oster) તરીકે થઈ છે. તે 'ઇગોઝ યુનિટ'માં પોસ્ટેડ હતો.

Continues below advertisement

આ દરમિયાન, 'સ્કાય ન્યૂઝ અરેબિયા'ને ઇઝરાયેલના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ લેબેનોનમાં અથડામણ દરમિયાન 14 ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. જો કે, હિઝબુલ્લાહ અને ઈરાન વિરુદ્ધ પોતાના અભિયાન સાથે આગળ વધી રહેલા ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પોતાના દેશના નવા વર્ષના અવસર પર મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા, તેણે કહ્યું, આ સંપૂર્ણ વિજયનું વર્ષ હશે.

મિડલ ઇસ્ટ પર અમેરિકાનું શું આવ્યું નિવેદન?

Continues below advertisement

બીજી તરફ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની અમેરિકાએ આકરી નિંદા કરી છે. અમેરિકાએ ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભવિષ્યમાં ઈઝરાયેલ પર હુમલો ન કરો. ઈરાન  પ્રોક્સી આતંકવાદી સંગઠનોને પણ હુમલા કરતા  રોકે. અમેરિકા મધ્ય પૂર્વમાં હિત અને સૈનિકોની રક્ષા કરવામાં અચકાશે નહીં. અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

 

ઈરાનના સર્વોચ્ચ નેતાએ હિઝબુલ્લાના વડાને ચેતવણી આપી હતી

આ દરમિયાન, 'રોયટર્સ'ના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનીએ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને ઈઝરાયેલના ષડયંત્ર અંગે ચેતવણી આપી હતી. ઈરાની સૂત્રોના જણાવ્યા અનુસાર, આયતુલ્લાહ અલી ખમેનીએ હિઝબુલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયાના થોડા દિવસો પહેલા લેબનોન છોડીને ભાગી જવાની ચેતવણી આપી હતી. હાલમાં, આયાતુલ્લા અલી ખામેનેઇ તેહરાનમાં વરિષ્ઠ સરકારી રેન્કમાં ઇઝરાયેલની ઘૂસણખોરી વિશે ખૂબ જ ચિંતિત છે. નોંધનિય છે કે, ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધને લઈને સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચો...

Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર