ઇઝરાયેલ અને લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે રવિવારે સવારે ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. હિઝબુલ્લાએ રવિવારે સવારે ઇઝરાયેલ પર સેંકડો રોકેટ વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયેલે તેના 100 ફાઇટર જેટ આકાશમાં છોડ્યા હતા. હિઝબુલ્લાહે કહ્યું છે કે, તેણે જુલાઇના અંતમાં બેરૂતમાં તેના કમાન્ડર ફૌઆદ શુકરની હત્યાનો બદલો લેવા ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓને જાણ થઈ ગઈ હતી કે હિઝબુલ્લાહ તેલ અવીવ અને મધ્ય ઇઝરાયેલ વિસ્તારોમાં વર્તમાન યુદ્ધની સૌથી મોટી આક્રમણ શરૂ કરવાની છે. ત્યારબાદ IDF એ સવારે 5 વાગ્યાની આસપાસ હિઝબુલ્લાહની જગ્યાઓ પર હુમલો કર્યો, જ્યાં ઉગ્રવાદી જૂથ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું.


 રવિવારે સવારે, હિઝબુલ્લાએ દાવો કર્યો હતો કે તેણે ઉત્તરી ઇઝરાયેલમાં લગભગ 320 રોકેટ છોડ્યા છે, જેમાં સફેડ અને એકર જેવા વિસ્તારો અને 11 લશ્કરી થાણાઓનો સમાવેશ થાય છે. હિઝબોલ્લાહે કહ્યું કે, તેણે ઇઝરાયેલની અંદરના તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી ડ્રોન્સના માર્ગને સરળ બનાવવા માટે લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઉગ્રવાદી જૂથે દાવો કર્યો હતો કે, ડ્રોન યોજના મુજબ પસાર થયા હતા. તે જ સમયે, IDF એ સંકેત આપ્યો છે કે હિઝબોલ્લાહની સફળતા અને હુમલાનું પ્રમાણ તેના દાવા કરતા ઓછું હતું. જો કે, તેણે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આમ કરવાથી હિઝબુલ્લાહને ઝડપથી તૈયાર થવાની તક મળશે.


ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા અનેક હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. જો કે, તેણે કોઈ નંબરનો ઉલ્લેખ કર્યો ન હતો. હિઝબુલ્લાહે કહ્યું કે તેણે જૂથના ટોચના કમાન્ડરની હત્યાનો બદલો લીધો છે. અલ્લાહની રહેમતથી પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ તબક્કામાં ઇઝરાયલી બેરેક અને સાઇટ્સને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે જેથી ઇઝરાઇલની અંદરના તેમના ઇચ્છિત સ્થળો સુધી હુમલાના ડ્રોન પસાર થાય. અલ્લાહની રહેમતથી યોજના મુજબ ડ્રોન પસાર થયા”.


 ઉગ્રવાદી જૂથે કહ્યું કે, “દુશ્મન સ્થાનો પર છોડવામાં આવેલા રોકેટની સંખ્યા 320ને વટાવી ગઈ છે. જો IDFએ અગાઉ કાર્યવાહી ન કરી હોત તો હિઝબુલ્લાહનો હુમલો કેટલો મોટો હોત તે સ્પષ્ટ નથી. દરમિયાન, IDF એ  તેની સૂચનાઓમાં મોટો ફેરફાર કર્યો છે. અપર ગેલિલી દક્ષિણથી તેલ અવીવ સુધી જાહેર મેળાવડા, કાર્યસ્થળો અને શિક્ષણ પ્રવૃત્તિઓ પર મર્યાદાઓ લાદવામાં આવી છે. તેલ અવીવની દક્ષિણે મધ્ય અને જેરુસલેમ વિસ્તારો હજુ સુધી પ્રભાવિત થયા નથી, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી જવાની સંભાવનાને કારણે બેન ગુરિયન એરપોર્ટને અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે.