Vessel Adrift Between Libya and Malta: દરિયાના રસ્તે આફ્રિકન દેશોમાંથી યૂરોપ જનારું જહાજ અને બૉટ ડુબવાની ઘટના સતત સામે આવી રહી છે. ખબર છે કે, હવે 400 લોકોથી ભરેલું એક જહાજ, જેનુ ફ્યૂલ પણ ખતમ થઇ ગયુ છે, અને તેના કેપ્ટનનો પણ અત્તોપત્તો નથી, તે માલ્ટા અને લિબિયાની વચ્ચે આમ તેમે ભટકી રહ્યું છે. જહાજ પર સવાર લોકો પ્રવાસી બતાવવામાં આવી રહ્યાં છે, જેને દરિયામાં ડુબવાનો ખતરો છે.  


આ ઘટનાની જાણકારી એક જર્મન એનજીઓ સી-વૉચ ઈન્ટરનેશનલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી છે. ભૂમધ્ય સાગરમાં જહાજો અને બૉટો પર નજર રાખનારી સપોર્ટ સર્વિસ 'એલાર્મ ફોન'એ બતાવ્યુ કે, તેને કાલે રાત્રે લિબિયાના તોબ્રૂકથી રવાના થયેલા પાણીના જહાજ પરથી એક ફોન આવ્યો હતો. તેમને જણાવ્યુ કે, તે જહાજ પરથી પીડિતો વતી પોતાને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. જોકે હજુ સુધી તેમના માટે કોઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી નથી.


જહાજ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યું છે !
'એલાર્મ ફોન' વતી એવું કહેવામાં આવ્યું હતું કે, તેમને ભૂમધ્ય સાગરમાં ફસાયેલા જહાજ વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. એલાર્મ ફોનમાં કહેવામાં આવ્યું હતું કે જહાજમાં ફ્યૂલ પણ ખતમ થઇ ગયુ છે, અને તેની નીચેની ડેક પાણીથી ભરેલી છે. કેપ્ટન પણ ક્યાંક ગાયબ થઈ ગયો છે અને હવે એ જહાજને ચલાવવા માટે કોઈ બચ્યું નથી.


જલદી મદદ ના પહોંચી તો લોકો ગુમાવી બેસશે પોતાના જીવ 
એલાર્મ ફોને કહ્યું કે, બોર્ડ પરના લોકો ગભરાઈ રહ્યા હતા, જેમાંથી ઘણાને તબીબી સહાયની જરૂર હતી. એલાર્મ ફોન મુજબ, તેઓનો અંદાજ છે કે જહાજ હવે માલ્ટિઝ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એરિયા (SAR)માં છે. જોકે, બોર્ડ પરના લોકો માલ્ટિઝ તંત્રનો સંપર્ક કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં,  જો લોકોને તે ડૂબતા જહાજમાંથી વહેલી તકે બચાવવામાં ન આવે તો તેઓ ડૂબી શકે છે.


 


US Over Arunachal Pradesh: અરુણાચલની 11 જગ્યાઓના ચીને બદલ્યા નામ તો અમેરિકા ગુસ્સે ભરાયુ, બોલ્યુ- અમે ભારતની સાથે છીએ......


US Condem China Over Rename Arunachal Pradesh: ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) 11 જગ્યાઓના નામ બદલી નાંખ્યા છે, અમેરિકાએ (America) આના પર સખત પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ મંગળવારે (4 એપ્રિલે) કહ્યું કે, યૂએસ ભારતીય વિસ્તાર અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનો ચીનની કોશિશોનો વિરોધ કરે છે. આ એક રીતે ચીનની ભારતીય વિસ્તાર પર પોતાના દાવો કરવાની રીત છે. 


અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પીયરે (Karine Jean-Pierre) ने કહ્યું કે, કેટલીક એવી વસ્તુઓ છે, જેના પર અમેરિકા હંમેશા ઉભુ રહ્યુ છે, અમે અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નામ બદલીને વિસ્તારના દાવાનો આગળ વધવા માટે કોઇપણ એકતરફી કોશિશોનો સખત વિરોધ કરીએ છીએ. 


યૂએસનું આ નિવેદન ચીનના નાગરિક મામલાના મંત્રાલાય તરફથી અરુણાચલ પ્રદેશમાં 11 સ્થાનોના નામોને રિનેમ બાદ આવ્યુ છે. તેમને આ જગ્યાઓના નામ ચીની અક્ષરો, તિબ્બતી પિનયિન ભાષાઓમાં બદલી દીધા છે. ચીનના મંત્રાલયે રવિવારે (2 એપ્રિલ) 11 સ્થાનોના નામોની જાહેરાત કરી. બે આવાસીય વિસ્તારો, પાંચ પર્વત ટોચો, બે નદીઓ અને બે અન્ય વિસ્તારો સહિત સટીક સબઓર્ડિનેટ પણ આપ્યા.