મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. યુક્રેનની સેના વિદેશીઓને બંધક બનાવી રહી છે અને તેમનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. પુતિને દાવો કર્યો હતો કે 3,000 ભારતીયોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા જેઓને રશિયન સેનાએ મુક્ત કરાવ્યા હતા. તેમણે કહ્યું કે ચીનના લોકોને પણ યુક્રેન દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. સુરક્ષા પરિષદની બેઠક બાદ પુતિને આ વાત કહી હતી.


 પુતિને યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું કે તે વિદેશી નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સેના નાગરિકોને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે ચીનના નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમને રશિયન સેનાએ મુક્ત કરાવ્યા છે. પુતિને એમ પણ કહ્યું હતું કે રશિયા યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરી રહ્યું નથી.


પુતિને દાવો કર્યો હતો કે યુક્રેનની આર્મી વિદેશીઓને યુક્રેન છોડવા દેતી નથી. તેમણે કહ્યું કે રશિયન આર્મીએ યુક્રેનમાંથી વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. યુક્રેન વિદેશીઓને બહાર કાઢવામાં વિલંબ થાય તેવો પ્રયાસ કરી રહ્યું છે.  તેમણે આરોપ લગાવ્યો હતો કે યુક્રેન ડોનેટ્સક અને લુહાન્સ્કમાં લોકો સાથે અમાનવીય વર્તન કરી રહ્યું છે.


પુતિને કહ્યું કે ડોનેત્સ્ક અને લુહાન્સ્કના લોકોને ટેન્ટની અંદર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે ડોનટ્સ અને લુહાન્સ્કના લોકો માટે શાંતિપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે કંઈપણ કરીશું. તેમને શિક્ષિત કરીને સ્વતંત્ર અને પ્રતિષ્ઠિત જીવન જીવવા માટે મદદ કરીશું. રશિયન સેનાના તમામ પરિવારના સભ્યો અને મૃત્યુ પામેલા સૈનિકોનું સન્માન કરવામાં આવશે. પુતિને કહ્યું કે અમે અમારા પડોશીઓને પરમાણુ શસ્ત્રોથી અમને ધમકાવવાની મંજૂરી આપીશું નહીં. અમારા સંરક્ષણ મંત્રાલયે અત્યાર સુધીના તમામ લક્ષ્યો હાંસલ કર્યા છે.


નોંધનીય છે કે ગુરુવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે રશિયાએ પોતાની આર્મીને યુક્રેનની જમીન પરથી હટાવી દેવી જોઇએ.