Netanyahu Gaza Peace Plan: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિની 15-પોઇન્ટ વાળી 'બોર્ડ ઓફ પીસ પ્લાન' (શાંતિ યોજના) ને સાફ શબ્દોમાં નકારી કાઢી છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, નેતન્યાહુએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસ પોતાના તમામ હથિયારો સંપૂર્ણપણે નહીં સોંપી દે, ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી એક પણ ડગલું પાછળ નહીં હટે.

Continues below advertisement

પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા નેતન્યાહુએ જણાવ્યું કે, "ઇઝરાયલ હમાસને માત્ર નબળું પાડવા નથી માંગતું, પરંતુ તેને વાસ્તવિક અને સંપૂર્ણ રીતે તોડી પાડવા માંગે છે. માત્ર સંગઠનને નબળું પાડવાથી કોઈ જ ફાયદો થવાનો નથી."

અમેરિકા સાથે વાટાઘાટોનો દોર ચાલુ

Continues below advertisement

આ કડક વલણ વચ્ચે પણ ઇઝરાયલી વડાપ્રધાને સ્વીકાર્યું કે આ મુદ્દે અમેરિકા સાથે મંત્રણાઓ હજુ ચાલી રહી છે. ઇઝરાયલ ટ્રમ્પ વહીવટીતંત્રની કેટલીક યોજનાઓ સાથે સહમત છે, જ્યારે અમુક મુદ્દાઓ પર તેમનો સ્પષ્ટ વિરોધ પણ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ અમેરિકાના નેતૃત્વ હેઠળના પીસ બોર્ડના ડિરેક્ટર નિકોલે મ્લાડેનોવ અને નેતન્યાહુ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, આ બેઠક બાદ બોર્ડે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે હમાસના શસ્ત્રો સંપૂર્ણપણે જપ્ત થયા પછી જ ઇઝરાયલી દળો ગાઝા પટ્ટીમાંથી પીછેહઠ કરશે.

ટ્રમ્પના દાવા અને ગ્રાઉન્ડ રિયાલિટી

બીજી તરફ, ગયા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના પોતાના આ પ્લાનમાં મોટી સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો. તેમનું કહેવું હતું કે ગયા વર્ષે જ ઇઝરાયલ અને હમાસ વચ્ચે આ યોજના પર સંમતિ સધાઈ ગઈ હતી, જેની શરૂઆત યુદ્ધવિરામથી થવાની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગયા ઓક્ટોબરથી યુદ્ધવિરામ લાગુ હોવાની વાતો વચ્ચે પણ ઇઝરાયલે ગાઝા પર પોતાના હુમલાઓ સતત ચાલુ જ રાખ્યા છે.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે હમાસ પોતાના શસ્ત્રો છોડવા માટે રાજી થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર ઘાતક હુમલો કરીને આ ભયાનક યુદ્ધની શરૂઆત કરતા પહેલા, હમાસે લગભગ બે દાયકા સુધી ગાઝા પર પોતાનું શાસન ચલાવ્યું હતું.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

શું છે આ ઐતિહાસિક વિવાદનું મૂળ?

અસલમાં, ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો આ દાયકાઓ જૂનો સંઘર્ષ મુખ્યત્વે જમીનના અધિકારો, સાર્વભૌમત્વ અને સુરક્ષાની આસપાસ ઘૂમે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષ 1948 માં જ્યારે ઇઝરાયલની સ્થાપના થઈ, ત્યારે અંદાજે 700,000 પેલેસ્ટિનિયનો પોતાની જમીન પરથી વિસ્થાપિત થયા હતા. આમાંથી મોટાભાગના લોકોએ શરણાર્થી તરીકે ગાઝા પટ્ટીમાં આશરો લીધો હતો અને ત્યારથી તેઓ ત્યાં જ કાયમી ધોરણે સ્થાયી થયા છે.

આ પણ વાંચોઃ ‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય