Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ સોમવારે કહ્યું હતું કે તેમને  હવે એવું નથી લગાતુ  કે ફ્રાન્સ (France), જર્મની (Germany)અને કિવ(Kyiv)ની સહમિત સાથે 2015ની એક મહત્વપૂર્ણ યોજના યુક્રેનના અલગતાવાદી સંઘર્ષને ઉકેલવામાં મદદ કરી શકે છે.


પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રવિવારે, રશિયાએ યુક્રેનની ઉત્તરી સરહદો નજીક સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો હતો.


પુતિને તેમની સુરક્ષા પરિષદને કહ્યું, "અમે સમજીએ છીએ કે 2015 મિન્સ્ક શાંતિ સમજૂતી (2015 Minsk peace accords)- બેલારુસની રાજધાનીમાં યુક્રેનની સેના અને દેશના પૂર્વમાં મોસ્કો સમર્થક બળવાખોરો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટેનો કરાર - અમલીકરણ માટે કોઈ અવકાશ નથી."


રશિયા-યુક્રેન તણાવ ચરમ પર


પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રવિવારે, રશિયાએ યુક્રેનની ઉત્તરી સરહદો નજીક સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો હતો.  તેણે યૂક્રેનની ઉત્તરી સરહદ પાસેના બેલારુસમાં લગભગ 30,000 સૈનિકો  તૈનાત કર્યા છે, સાથે જ  યૂક્રેનની સરહદો પર  150,000 સૈનિકો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનો યુક્રેનની સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે. કિવની વસ્તી લગભગ 30 મિલિયન છે.


યુક્રેનની સેનાએ એક સૈનિકના મોતની માહિતી આપી હતી


યુક્રેનની સેનાએ શનિવારે અઠવાડિયામાં પ્રથમ સૈનિકના મૃત્યુની જાણ કરી હતી અને મોસ્કો સમર્થિત બળવાખોરો પર ઝડપથી વધતા હુમલાનો આરોપ મૂક્યો હતો. પૂર્વીય યુક્રેન માટે સંયુક્ત સૈન્ય કમાન્ડે જણાવ્યું હતું કે રશિયન સરહદની નજીકના બે અલગતાવાદી વિસ્તારો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ક્ષેત્રમાં ઘાતક છરા લાગવાથી  એક સૈનિકનું મૃત્યુ થયું હતું. યુક્રેનની કટોકટી સેવાએ શુક્રવારે જણાવ્યું હતું કે હુમલાની એક લહેર  દરમિયાન તેના બે કામદારો ઘાયલ થયા હતા. બીજી તરફ બળવાખોર નેતાઓએ યુક્રેની  સશસ્ત્ર દળો પર તેમના બે અલગતાવાદી પ્રદેશોને બળ દ્વારા પાછા લેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કિવે આ વાતને નકારી કાઢી હતી.