Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે માલે પહોંચ્યુ પ્રાઇવેટ વિમાન, સિંગાપોર પહોંચી રાજીનામું આપી શકે છે

ભારે વિરોધ અને રાજકીય સંકટને કારણે બુધવારે વહેલી સવારે શ્રીલંકા ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે એક ખાનગી જેટ માલદીવ પહોંચ્યું છે

gujarati.abplive.com Last Updated: 14 Jul 2022 12:20 PM

બ્રેકગ્રાઉન્ડ

Sri Lanka Crisis: ભારે વિરોધ અને રાજકીય સંકટને કારણે બુધવારે વહેલી સવારે શ્રીલંકા ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને લેવા માટે એક ખાનગી જેટ માલદીવ પહોંચ્યું છે. શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ...More

કોલંબોમાં કર્ફ્યુની જાહેરાત

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આજે માલદીવથી સિંગાપુર પહોંચી શકે છે. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પછી શ્રીલંકામાં સ્થિતિ ફરી વણસી શકે છે. આને ધ્યાનમાં રાખીને પહેલાથી જ સુરક્ષા સઘન કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કોલંબોમાં બપોરે 12 વાગ્યાથી આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.