નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વધુ વકરી છે. પાકિસ્તાન બૂમો પાડીને કહી રહ્યું છે કે અમે પણ આતંકવાદના વિરુદ્ધમાં છીએ, પણ તેની કોઇ અસર આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાઇ નથી.




ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન 56 ઇસ્લામી અને મુસ્લિમ રાષ્ટ્રોનું સૌથી મોટુ સંગઠન છે. OICનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક રાષ્ટ્રોને સહયોગ અને પ્રોત્સાહિત કરવાનો છે. આ ઓર્ગેનાઇઝેશનનુ હેડક્વાર્ટર જેદ્દા, (સાઉદી અરબ)માં આવેલું છે. આ ઓર્ગેનાઇઝેશને આ વખતે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને સ્પેશ્યલ અતિથિ તરીકે નિમંત્રણ આપ્યુ છે.



સુષ્મા સ્વરાજને નિમંત્રણ આપવું એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે આ સંગઠને ભારત જેવા રાષ્ટ્રને હંમેશા બહિષ્કાર કર્યો છે. ભારતમાં બે-ત્રણ મુસ્લિમ દેશોને છોડીને સૌથી વધુ મુસલમાન રહે છે, પણ આ સંગઠને ભારતને સદસ્યતા આપવાનું દુર, સુપરવાઇઝરનો દરજ્જો પણ આજ સુધી નથી આપ્યો. જ્યારે સુપરવાઇઝર તરીકે રશિયા, થાઇલેન્ડ અને કેટલાક નાના મોટા આફ્રિકી દેશોને હંમેશા બોલાવવામાં આવે છે.



આ વખતે પાકિસ્તાનના બૂમબરાડા બાદ પણ ભારતને OICમાં બોલાવવામાં આવ્યુ છે. 1લી માર્ચે થનારા આ અધિવેશનમાં સુષ્મા સ્વરાજ મુખ્ય અતિથિ હશે, જ્યારે પાકિસ્તાને અહીં જવાની ના પાડી દીધી છે.