Turkey-Syria Earthquake Live: તુર્કી-સીરિયામાં મોતનો આંકડો 5000ને પાર, હજારો લોકો ફસાયા છે કાટમાળમાં

Earthquake Live Updates: ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં 5000થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 14000થી વધુ લોકો ઘાયલ થયા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Feb 2023 04:26 PM
તુર્કીના રાજદૂતે શું કહ્યું

તુર્કીના ભારત સ્થિત રાજદૂતે કહ્યું,  તુર્કીમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, બે કલાક પછી તુર્કીમાં 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. દક્ષિણપૂર્વ તુર્કીમાં 14 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત છે, તે મોટી આપત્તિ છે. 21,103 ઘાયલ, લગભગ 6000 ઇમારતો ધરાશાયી, 3 એરપોર્ટને નુકસાન થયું છે.

કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે

તુર્કીના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું, કોલેજો અને યુનિવર્સિટીને શેલ્ટરમાં ફેરવવામાં આવશે.  84 દેશો કરશે બચાવ કામગીરી, 14 દેશોની ટીમ પહોંચી છે, 70 દેશોની ટીમો રસ્તામાં છે.

તુર્કી બાદ રશિયામાં પણ ભૂકંપ

તુર્કી બાદ રશિયામાં પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. તુર્કીમાં ભૂકંપ બાદ તબાહી મચી છે.

ફરી 5.7ની તીવ્રતાનો ભૂકંપ

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું કે મંગળવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

તુર્કીમાં ફરી 5.4ની તીવ્રતાનો ભૂકંપ

USGS મુજબ, પૂર્વી તુર્કીમાં 5.4ની તીવ્રતાનો પાંચમો ભૂકંપ આવ્યો કારણ કે દેશ વ્યાપક વિનાશ અને મૃત્યુ સાથે ઝઝૂમી રહ્યો છે અને મૃત્યુઆંક 5,000 સુધી પહોંચી ગયો છે.

મૃત્યુઆંક વધીને 4600 થયો

એસોસિએટેડ પ્રેસ અનુસાર તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 4,600 લોકો માર્યા ગયા છે. વ્યાપક વિનાશ વચ્ચે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભારતે અત્યાર સુધીમાં ભૂકંપગ્રસ્ત તુર્કીમાં બે બચાવ ટીમ મોકલી છે.

પાકિસ્તાને રાહત સામગ્રી લઈને જતાં ભારતીય પ્લેનને ન આપી મંજૂરી

. ભારતે દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે NDRF અને મેડિકલ ટીમ સાથે એક વિમાન તુર્કી મોકલ્યું છે. પાકિસ્તાને આ વિમાનને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા તુર્કી મોકલવામાં આવેલા હેલ્પ પ્લેનને પાકિસ્તાનની ઉપરથી ઉડવાની મંજૂરી ન અપાયા બાદ પ્લેન પોતાનો રૂટ બદલીને અરબી સમુદ્ર થઈને તુર્કી તરફ ગયું હતું. જો પાકિસ્તાને આ વિમાનને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધું હોત તો મદદ લઈને જઈ રહેલું ભારતીય વિમાન ઓછા સમયમાં તુર્કી પહોંચી શક્યું હોત

પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો

સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપ બાદ ભારત દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મદદ વિશે માહિતી આપી.

તુર્કી પ્રશાસને લોકોને સડકો ખાલી રાખવા અપીલ કરી

તુર્કી પ્રશાસને લોકોને સડકો ખાલી રાખવા અપીલ કરી છે. તુર્કી ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે, જરૂર ન હોય તો સડક પર નીકળશો નહીં, જેથી ઈમરજન્સી વાહનોનો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં વિલંબ ન થાય.

ન્યુઝીલેન્ડે મદદ કરી

ન્યુઝીલેન્ડ તુર્કી રેડ ક્રેસન્ટને $632,000 અને સીરિયન આરબ રેડ ક્રેસન્ટને $316,000 ખોરાક, તંબુ અને ધાબળા, તેમજ તબીબી સહાય અને મનોવૈજ્ઞાનિક સહાય જેવા પુરવઠાની ડિલિવરી માટે પ્રદાન કરી રહ્યું છે.

તુર્કીમાં ફરી ભૂકંપ, 5.9ની તીવ્રતા

ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા માપવામાં આવી હતી.

જો બાઇડેને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને ધ્યાનમાં રાખીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગન સાથે ફોન પર વાત કરી હતી. બાઇડેને તેમને તમામ શક્ય મદદ આપવાનો ઉલ્લેખ કર્યો.

મૃત્યુઆંક વધુ વધશે - તુર્કીના ઉપરાષ્ટ્રપતિ

તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ કહ્યું કે આવી દુર્ઘટના "100 વર્ષમાં એકવાર" થઈ શકે છે. મૃત્યુઆંક વધવા માટે દેશે તૈયાર રહેવું જોઈએ.

ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી - તુર્કીના આરોગ્ય મંત્રી

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકાના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે સહાય ટીમો માટે પડકારો વધી ગયા છે. કોકાએ કહ્યું, "હવામાનની સ્થિતિ અને આપત્તિની તીવ્રતાએ અમારી ટીમો માટે આ વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ બનાવ્યું હતું."

એનડીઆરએફની ટીમ રવાના

ભૂકંપ રાહત સામગ્રીની પ્રથમ બેચ એનડીઆરએફ શોધ અને બચાવ ટીમો, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ, તબીબી પુરવઠો, ડ્રિલિંગ મશીન અને અન્ય જરૂરી સાધનો સાથે તુર્કી માટે રવાના થઈ.

4000થી વધારે લોકોના મોત

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, તુર્કી અને સીરિયામાં જીવલેણ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 4,000 થી વધુ લોકો માર્યા ગયા છે.

સ્પેને પણ મદદનો હાથ લંબાવ્યો

સીરિયાના ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે સ્પેન પણ આગળ આવ્યું છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે ખાસ પ્રશિક્ષિત સ્નિફર ડોગ્સ મોકલવામાં આવ્યા હતા.

અમેરિકા મદદ કરશે

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર દુખ વ્યક્ત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડશે.

ભારતની NDRFની 2 ટીમો તુર્કી જવા રવાના

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને લઈને પીએમઓમાં બેઠક યોજાઈ હતી, ત્યારબાદ પીએમ મોદીના નિર્દેશ પર NDRFની બે ટીમ તુર્કી જવા રવાના થઈ ગઈ છે.

સીરિયામાં લગભગ 1300 લોકો માર્યા ગયા

તુર્કી સિવાય સીરિયાનો સરહદી વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે. સેંકડો ઈમારતો ધરાશાયી થવાને કારણે લગભગ 1300 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભૂકંપના આંચકા 46 વખત અનુભવાયા

તુર્કીમાં સોમવાર (6 ફેબ્રુઆરી) સવારથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 46 વખત આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 4.3 થી 7.8 નોંધવામાં આવી હતી.

તુર્કીમાં લગભગ 2400 લોકોના મોત થયા

સોમવાર (6 ફેબ્રુઆરી)ના રોજ આવેલા ભૂકંપને કારણે સૌથી વધુ વિનાશ તુર્કીમાં થયો છે. અહીં મૃતકોનો આંકડો 2400ની નજીક પહોંચી ગયો છે. તે જ સમયે, બચાવ કામગીરી સતત ચલાવવામાં આવી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Turkey-Syria Earthquake Live:  તુર્કી અને પડોશી સીરિયામાં સોમવારે (6 ફેબ્રુઆરી)ના રોજ આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 4365 લોકોના મોત થયા છે. સાથે જ હજારો લોકો ઘાયલ થયા છે. તીવ્ર ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. ઘણી ઇમારતો પત્તાના ઘરની જેમ પડી જાય છે.


તાજેતરના આંકડાઓ અનુસાર, ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં 4365થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 14000થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, કહરમનમરસના એલ્બિસ્તાન જિલ્લામાં 7.6 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. લેબનોન અને સીરિયા સહિત ઘણા પડોશી દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


5,606 ઈમારતો ધરાશાયી થઈ


તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી (એએફએડી)ના રિસ્ક રિડક્શન જનરલ મેનેજર ઓરહાન તતારએ જણાવ્યું હતું કે અનાદોલુ એજન્સીના રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે 5,606 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તતારે કહ્યું કે કાટમાળમાંથી 6,800 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.


આ વિસ્તારમાં લગભગ 9700 બચાવકર્મીઓ કામ કરી રહ્યા છે


ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી (AFAD) એ જણાવ્યું હતું કે લગભગ 9700 બચાવ કર્મચારીઓ આ વિસ્તારમાં કામ કરી રહ્યા છે. તુર્કીના આરોગ્ય પ્રધાન કોકાએ જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં ટીમો કામ કરી રહી છે અને તેમની શોધ અને બચાવ અને આરોગ્ય સેવાઓ ચાલુ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે અનેક દક્ષિણ પ્રાંતોમાં ભૂકંપ આવ્યા બાદ તુર્કી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરશે.


સાત દિવસનો રાષ્ટ્રીય શોક


એર્દોગને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "6 ફેબ્રુઆરીએ આપણા દેશમાં આવેલા ભૂકંપના કારણે સાત દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવે છે. 12 ફેબ્રુઆરી, રવિવારના રોજ સૂર્યાસ્ત સુધી આપણો ધ્વજ અડધો ઝુકાવાશે."

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.