Britain: ભારતીય દૂતાવાસ પર હુમલાનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજી રહ્યો છે.  બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને શુક્રવારે હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે અમે હજી પણ આ દેશમાં ખાલિસ્તાની આતંકવાદીઓને શરણ આપી રહ્યા છીએ, અમે તેમના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે શું નિર્ણય લઈ શકીએ છીએ. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને ત્રિરંગો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.

Continues below advertisement


હાઉસ ઓફ કોમન્સ લીડર પેની મોર્ડાઉન્ટને સંબોધતા બોબ બ્લેકમેને કહ્યું કે ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની ગુંડાઓ દ્વારા જે ગુંડાગીરી થઈ છે તે આ દેશ માટે એક કલંક છે. આટલા વર્ષોમાં આ છઠ્ઠી વખત છે જ્યારે હાઈ કમિશન પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. તેના જવાબમાં ગૃહના નેતા પેની મોર્ડાઉન્ટે કહ્યું કે અમે લંડનમાં ભારતીય દૂતાવાસની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. અમે આ મુદ્દે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. એ નક્કી કરવાનું પોલીસ અને ક્રાઉન પ્રોસીક્યૂશનનું કામ હશે કે વોરંટ અને ફોજદારી કાર્યવાહી સાથે જોડાયેલી કાર્યવાહી કરવાની જરુર છે કે નહી



ખાલિસ્તાની આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ


બોબ બ્લેકમેને કહ્યું કે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ આવા જ હુમલા કરવામાં આવ્યા હતા. અત્યારે અમે આ દેશમાં ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છીએ. શું આપણે આ દેશમાંથી આ આતંકવાદીઓને પ્રતિબંધિત કરવા માટે શું પગલાં લઈ શકીએ તે અંગે સરકારના સમય દરમિયાન ચર્ચા થઈ શકે છે. તેના પ્રતિભાવમાં પેની મોર્ડન્ટે હુમલાની નિંદા કરવા બદલ બોબ બ્લેકમેનનો આભાર માન્યો. તેમણે હાઉસ ઓફ કોમન્સને ખાતરી આપી હતી કે યુકે સરકાર ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે.


ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો


ઉલ્લેખનીય છે કે, રવિવારે કેટલાક કટ્ટરપંથી ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાંથી ત્રિરંગો હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારત સરકારે દિલ્હી સ્થિત બ્રિટિશ રાજદ્વારીઓને બોલાવ્યા. આ સાથે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બારી તોડવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.