Universal Flu Vaccine: દુનિયામાં સમય સમયે વાયરલ ઈન્ફેક્શન એટલે કે ઈન્ફલ્યુએન્ઝાનાં કેસો સામે આવે છે. તાજેતરમાં જ અમેરિકામાં ઈન્ફલ્યુએન્ઝાનાં કેસોનો ઘણો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જોકે હવે ઈન્ફલ્યુએન્ઝાની સારવારમાં આશાનું કિરણ જાગ્યું છે. 

Continues below advertisement


હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ ઈન્ફલ્યુએન્ઝાની લગભગ 20 જાતો સામે પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. રસીના ટ્રાયલમાં આ સફળતા મળી છે. જેથી હવે આ રસીથી ભવિષ્યમાં ઈન્ફલ્યુએન્ઝા માટે સાર્વત્રિક રસીનો માર્ગ ખુલ્યો છે.


રિપોર્ટ અનુસાર, આ નવી રસી તમામ પ્રકારના ફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકે છે. મેડિકલ ક્ષેત્રની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સંશોધકોનો દાવો છે કે, આપણી હાલની ફ્લૂની રસી માનવ શરીરમાં ચાર સ્ટ્રેન પર કામ કરી શકે છે. તેમાંથી, બે ઈન્ફલ્યુએન્ઝા A સ્ટ્રેન પર અને બે B સ્ટ્રેન પર કામ કરશે. હકીકતે ઈન્ફલ્યુએન્ઝા રસીઓ દર વર્ષે બદલવામાં આવે છે, પરંતુ આ નવી રસી ઈન્ફલ્યુએન્ઝાના તમામ રોગો સામે કામ કરશે.


એવા અનેક સ્ટ્રેન જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવે છે...


ઈન્ફલ્યુએન્ઝાની કેટલીક જાતો મનુષ્યો વચ્ચે ફેલાવવા માટે પણ જાણીતી છે, પરંતુ ઘણા સ્ટ્રેન એવા પણ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રસારિત થાય છે. વૈજ્ઞાનિકો પણ એ વાતને લઈને ચિંતિત છે કે આ વાયરસ મનુષ્યમાં પણ પ્રવેશી શકે છે. પ્રાણીઓમાંથી માનવ શરીરમાં આવેલા આ વાયરસ શરીરને નબળું બનાવી શકે છે કારણ કે, આપણું શરીર આ વાયરસને સહન કરી શકતું નથી. તેથી જ નવા ઈન્ફલ્યુએન્ઝાની આ સાર્વત્રિક રસી લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે.


તમામ પ્રકારના વાયરસ સામે લડવામાં સક્ષમ


આ રસી પાછળનો વિચાર એ છે કે તે માનવ શરીરને તમામ પ્રકારના વાયરસ સામે લડવા માટે તૈયાર કરી શકે છે, જે લોકોને ગંભીર બીમારી અને મૃત્યુને રોકવામાં મદદ કરશે. અનેક સાર્વત્રિક રસીઓ વિકસાવવામાં આવી રહી છે અને વિવિધ તબક્કામાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમાંથી એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં તૈયાર કરવામાં આવી રહી છે.


કોરોનાના વધતાં કહેર વચ્ચે નાકથી લેવાતી રસીને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો સૌથી પહેલા ક્યાં મળશે


ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કટોકટીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાકની રસી મંજૂર કરવામાં આવી છે. આને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. ભારત સરકારની મંજૂરી બાદ આજથી (23 ડિસેમ્બર) કો-વિન પોર્ટલમાં અનુનાસિક રસીનો સમાવેશ કરવામાં આવશે..