વિદેશ મંત્રાલયના એક અધિકારીના કહેવા પ્રમાણે, પાકિસ્તાન દ્ધારા પરમાણુ હુમલાની ધમકી પર અમેરિકાએ વિરોધ નોંધાવી નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યું કે, પાકિસ્તાન કોઇ પણ પ્રકારે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપે નહીં. જોકે, એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાનનો આ સંદેશ ક્યા સ્તરે આપવામાં આવ્યો છે.
તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ યુદ્ધમાં પરમાણુ વેપન્સનો ઉપયોગ કરી શકે છે. મોહમ્મદે ભારતને ખત્મ કરી દેવાની ધમકી આપી હતી.