નારિયેળની ખેતી કરતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, થશે લાખોની કમાણી

નારિયેળની ખેતી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દરમિયાન તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાળિયેરની ખેતી એક ફાયદાકારક વ્યવસાય બની શકે છે

પ્રતિકાત્મક તસવીર

1/6
નારિયેળની ખેતી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દરમિયાન તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાળિયેરની ખેતી એક ફાયદાકારક વ્યવસાય બની શકે છે પરંતુ તેના માટે યોગ્ય ટેકનિક અને સારસંભાળ રાખવી ખૂબ જરૂરી હોય છે.
2/6
નાળિયેરની ખેતી માટે રેતાળ અથવા કાળી જમીન સૌથી યોગ્ય છે. સારી ડ્રેનેજવાળી જમીન પસંદ કરો. નાળિયેર માટે ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે. તાપમાન 25-35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ.
3/6
નાળિયેરના ઝાડને નિયમિત પાણી આપવાની જરૂર છે. સૂકી ઋતુમાં સિંચાઈની ખાસ કાળજી લો પરંતુ વધુ પાણી ભરાઇ જાય તેની સંભાળ પણ રાખવી જોઇએ
4/6
દર વર્ષે કુદરતી ખાતર અને સંતુલિત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો યોગ્ય ગુણોત્તર સુનિશ્ચિત કરો.
5/6
છોડની નિયમિત તપાસ કરો. જીવાતો અને રોગો સામે રક્ષણ માટે જૈવિક અને રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરો.
6/6
નારિયેળની કાપણી યોગ્ય સમયે કરો. જ્યારે નાળિયેરનો રંગ ભૂરાથી લીલા રંગમાં બદલાઈ જાય છે ત્યારે તેને કાપવું યોગ્ય છે. છોડ વચ્ચે યોગ્ય અંતર રાખો જેથી તેમને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળી રહે.
Sponsored Links by Taboola