PM Kisan Yojana: 4 ભાઈઓ એક જ જમીન પર ખેતી કરે તો કોને મળશે ₹6,000? જાણો નિયમ
પીએમ કિસાન યોજના: જો તમારા પરિવારમાં પણ ભાઈઓ સંયુક્ત રીતે ખેતી કરે છે, તો આ નિયમો જાણવા જરૂરી છે જાણો કોના ખાતામાં આવશે પૈસા અને ક્યારે જમા થશે 24મો હપ્તો.
Continues below advertisement

પીએમ કિસાન યોજના: દેશભરના લાખો ખેડૂતો અત્યારે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' (PM Kisan) ના 24મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આ યોજનાને લઈને ખેડૂતોના મનમાં ઘણા સવાલો પણ ઉઠતા હોય છે. સૌથી મોટો અને સામાન્ય સવાલ એ છે કે, જો એક જ ઘરમાં 4 ભાઈઓ રહેતા હોય અને ચારેય જણા એક જ જમીન પર ખેતી કરતા હોય, તો શું આ ચારેય ભાઈઓને દર વર્ષે 6000 રૂપિયાનો લાભ મળશે? કે પછી એક જ પરિવાર હોવાના નાતે માત્ર કોઈ એકને જ પૈસા મળશે? ચાલો આજે આ નિયમ વિશે એકદમ સરળ ભાષામાં સમજીએ.
Continues below advertisement
1/5
સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે સરકારના ચોપડે પરિવાર કોને કહેવાય. પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ, 'ખેડૂત પરિવાર' એટલે પતિ, પત્ની અને તેમના સગીર બાળકો. આનો સીધો અર્થ એ થયો કે માત્ર એક જ ઘરમાં સાથે રહેવાથી કે એક જ અટક હોવાથી બધા ભાઈઓ એક જ ખેડૂત પરિવારનો હિસ્સો નથી બની જતા. જો ચારેય ભાઈઓના લગ્ન થઈ ગયા હોય અને તેમના પોતાના અલગ પરિવાર હોય, અને સૌથી અગત્યનું, તેમની પાસે પોતાના નામે ખેતીલાયક જમીન હોય, તો તેઓ આ યોજનાનો અલગથી લાભ લઈ શકે છે.
2/5
માની લો કે 4 ભાઈઓ ભલે એક જ છત નીચે રહેતા હોય, પરંતુ તેમના પરિવારો અલગ છે અને ખેતીની જમીન પણ સરકારી રેકોર્ડમાં ચારેયના નામે અલગ-અલગ નોંધાયેલી છે. તો આ કિસ્સામાં, જો તેઓ યોજનાની અન્ય તમામ શરતો (માપદંડો) પૂરી કરતા હોય, તો ચારેય ભાઈઓ પીએમ કિસાન યોજના માટે પાત્ર ગણાશે. એટલે કે, દરેક ભાઈને વાર્ષિક 6000 રૂપિયા મળી શકે છે. જો પરિવારની કુલ રકમ ગણીએ તો ચારેય ભાઈઓના થઈને વર્ષે 24000 રૂપિયાનો સીધો ફાયદો મળી શકે છે.
3/5
હવે બીજો કિસ્સો જોઈએ. ધારો કે ચારેય ભાઈઓ સાથે મળીને ખેતી કરે છે, પણ જમીનના કાગળ (રેકોર્ડ) માત્ર કોઈ એક જ ભાઈના નામે બોલે છે. તો આવી સ્થિતિમાં બાકીના ત્રણ ભાઈઓને પીએમ કિસાન યોજનાના હપ્તાનો કોઈ લાભ મળશે નહીં. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના પોતાના નામે જમીન હોવી ફરજિયાત છે. માત્ર 'અમે સાથે ખેતી કરીએ છીએ' એવું કહેવાથી પૈસા ન મળે, સરકારી રેકોર્ડમાં કોનું નામ છે તે જ સૌથી વધુ મહત્વનું છે.
4/5
ઘણીવાર એવું પણ બને છે કે જમીનનો ટુકડો એક જ હોય પણ તેમાં સહમાલિક તરીકે એકથી વધુ ખેડૂતોના નામ નોંધાયેલા હોય. અને આ જ જમીનના આધારે અલગ-અલગ લોકો પીએમ કિસાન યોજનાના લાભ માટે દાવો કરતા હોય. આવા કિસ્સાઓમાં ગેરરીતિ અટકાવવા માટે સરકાર હવે 'ફિઝિકલ વેરિફિકેશન' (રૂબરૂ ચકાસણી) પણ કરી રહી છે. આનાથી એવા લોકોની ઓળખ સરળ બનશે જેઓ ખરેખર આ યોજનાના હકદાર છે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે સહાયની રકમ માત્ર સાચા અને લાયક ખેડૂતો સુધી જ પહોંચવી જોઈએ.
5/5
સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પહેલેથી જ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવાયો છે અને હવે સૌની નજર 2026ના 24મા હપ્તા પર છે. દરેક ખેડૂત જાણવા માંગે છે કે આ 24મો હપ્તો ક્યારે આવશે? ભૂતકાળમાં જે રીતે હપ્તા જમા થયા છે તેની પેટર્ન પર નજર કરીએ તો, 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં જારી થઈ શકે તેવી પૂરી શક્યતા છે. જોકે, હજુ સુધી સરકાર દ્વારા આ માટે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
Continues below advertisement
Published at : 16 Aug 2026 04:06 PM (IST)