આ દિવસે જમા થઇ શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
PM Kisan Yojana: ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન યોજનાનો 17મો હપ્તો વારાણસીથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ દિવસે 18મો હપ્તો પણ રિલીઝ થઈ શકે છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. તેથી ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ખાસ કરીને તેમના માટે યોજનાઓ ચલાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકારની આવી અનેક યોજનાઓ છે. જેનો ખેડૂતોને વિવિધ રીતે ફાયદો થાય છે. એક એવી યોજના છે જે સીધો આર્થિક લાભ આપે છે.
વર્ષ 2018માં ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને 4-4 મહિનાના અંતરે આપવામાં આવે છે. આ નાણા સીધા ખેડૂતોના ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને વારાણસીથી જાહેર કર્યો હતો. હવે ખેડૂતો યોજનાના આગામી એટલે કે 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
કિસાન યોજનાનો 18મો હપ્તો ભારત સરકાર ઓક્ટોબર મહિનામાં રીલિઝ કરી શકે છે. પરંતુ હપ્તો મેળવતા પહેલા ખેડૂતોએ આ બે કામ કરવા જરૂરી છે. નહી તો તેમના હપ્તાના નાણાં ફસાઈ શકે છે.આ અંગે સરકાર દ્વારા ખેડૂતોને અગાઉથી જ જાણ કરવામાં આવી છે. યોજના માટે લાભાર્થી ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. જે ખેડૂતોએ આજ સુધી આ કામો કરાવ્યા નથી. તેનો આગામી હપ્તો અટકી શકે છે.