PM Kisan Yojana: ખેડૂતો આ રીતે કરી શકશે ઇ-કેવાયસી, તેના વિના નહી આવે પીએમ કિસાન યોજનાના પૈસા

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો થોડા અઠવાડિયામાં બહાર પાડવામાં આવી શકે છે, જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જાહેર થાય તે પહેલા તમામ ખેડૂતોને ઈ-કેવાયસી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ઇ-કેવાયસી કર્યા વિના ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. બધા ખેડૂતો સરળતાથી ઘરે બેઠા તેમના ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે.
સૌ પ્રથમ ખેડૂતો pmkisan.gov.in પર જઈને મોબાઈલ OTP દ્વારા તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે. આ સિવાય તેને ડિજિટલ સર્વિસ પોર્ટલ CSC દ્વારા પણ પૂર્ણ કરી શકાય છે.
ખેડૂતો PM કિસાન મોબાઈલ એપ દ્વારા તેમનું ઈ-કેવાયસી પણ કરી શકે છે. તેમાં ફેસ ઓથેન્ટિકેશન છે.
ખેડૂતો તેમના તમામ પ્રશ્નોના જવાબો PM કિસાન એઆઈ ચેટબોટ (કિસાન ઈ-મિત્ર) પરથી પૂછી શકે છે. ઘણી જુદી જુદી ભાષાઓમાં પ્રશ્નો અને જવાબો હોઈ શકે છે.