Numerology : 25 સપ્ટેમ્બર બુધવારનો દિવસ આપની જન્મતારીખ મુજબ કેવો જશે, જાણો શું કહે છે અંક જ્યોતિષ
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંક 1 વાળા લોકો માટે બુધવારનો દિવસ સામાન્ય રહેવાનો છે. તમારે કોઈ કામ માટે ઘરની બહાર જવું પડી શકે છે. આ સમય દરમિયાન તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. છે.
નંબર 2 માટે 25 સપ્ટેમ્બરનો દિવસ સારો રહેવાનો છે. કરિયરને લઈને ચિંતા થઈ શકે છે. પરિવારમાં આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. ઘરમાં મહેમાનનું આગમન થઈ શકે છે.
મૂલાંક 3 વાળા લોકો માટે દિવસની શરૂઆત સકારાત્મક પહેલ સાથે થઈ શકે છે. ધાર્મિક યાત્રાને લઈને પારિવારિક યોજના બની શકે છે. તમારી જાતને કોઈપણ પ્રકારના નશાથી દૂર રાખો, નહીં તો તે તમારા માટે સૌથી મોટી સમસ્યા ઊભી કરી શકે છે.
બુધવારના દિવસે મૂલાંક 4 વાળા લોકોને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ મળી શકે છે. વર્ષોથી અટવાયેલું કામ પૂર્ણ થતું જણાય છે. તમારા પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન ન કરો. દરેક સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો.
5 મૂલાંક વાળા લોકો માટે બુધવાર ધમાલથી ભરેલો દિવસ હોઈ શકે છે. કોઈપણ પ્રકારના રોકાણ વિશે માહિતી મેળવ્યા પછી જ નાણાંનું રોકાણ કરો. પરિવારમાં તમારા વિશે ચર્ચા થઈ શકે છે. ઓફિસમાં કામનું દબાણ વધી શકે છે.
6 અંક વાળા લોકો માટે બુધવારનો દિવસ સારો રહેવાનો છે. સ્વાસ્થ્યને લઈને નક્કર પગલાં લઈ શકાય. પ્રેમમાં તમારા પાર્ટનરનું દિલ ક્યારેય તોડશો નહીં, નહીં તો તમને ક્યારેય સારો જીવનસાથી નહીં મળે.
અંક 7 વાળા લોકો માટે બુધવાર થકવી નાખનારો દિવસ હોઈ શકે છે. કામના કારણે તમે તમારા પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો.
8 નંબર વાળા લોકો માટે બુધવાર આશ્ચર્યથી ભરેલો હોઈ શકે છે. જો તમને તમારા જીવનસાથીને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે, તો તમે તમારા જીવનસાથીને બહુ જલ્દી મળી શકો છો. તમારા લવ પાર્ટનર સાથે વધુ સારા સંબંધ સ્થાપિત કરવાની જવાબદારી તમારી છે.
9 અંક વાળા લોકો માટે બુધવારનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારા જીવનસાથી સાથે તમારા સાસરિયાના ઘરે જઈ શકો છો. અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળે છે. તમે પૈસાથી મિત્રની મદદ કરી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીંતર તમે બીમાર પડી શકો છો