Home Vastu Tips: ઘરમાં લગાવેલી આ તસવીરો અને શોપીસ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે?
Home Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં રાખેલી કેટલીક ખાસ તસવીરો, મૂર્તિઓ અને છોડ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી શકે છે. જાણો વાસ્તુ દોષનું કારણ બનતી આવી વસ્તુઓ વિશે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/7
તમારા ઘરમાં ભૂલથી પણ તૂટેલી મૂર્તિઓ અથવા અરીસાઓ ન રાખવા જોઈએ. ખાસ કરીને દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ. ઘરમાં આવી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. તે સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. જેના કારણે જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે.
2/7
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં ડરાવનારી વસ્તુઓની તસવીરો અથવા મૂર્તિઓ ન રાખવી જોઈએ. કારણ કે તે પોતાની સાથે ભય અને ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓ લાવે છે. જે શાંતિપૂર્ણ વાતાવરણને અસર કરે છે.
3/7
સાપ જેવા કેટલાક પ્રાણીઓની પેઇન્ટિંગ અથવા મૂર્તિઓ રાખવાથી બચવું. ખાસ કરીને બેડરૂમમાં આવી ઇમેજ લગાવવી યોગ્ય માનવામાં આવતી નથી. ક્યારેય પક્ષીઓના તસવીરને એકલા ન રાખો. તેમને હંમેશા જોડીમાં રાખવા જોઈએ. નહીં તો તે ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. ખાસ કરીને દંપતિઓ પર તેનો અસર પડે છે.
4/7
વાસ્તુ મુજબ તાજમહેલની તસવીરો અથવા શોપીસ રાખવું અશુભ માનવામાં આવે છે. કારણ કે તે માત્ર સુંદર સ્મારક જ નથી, પરંતુ એક કબર છે. તાજમહેલ મૃત્યુનું પ્રતિક છે. જે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાને વધારી શકે છે. જેના કારણે તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે.
5/7
ઘરમાં આવી તસવીરો ભૂલથી પણ ન લગાવો જે નકારાત્મકતાને દર્શાવે છે. જેમ કે ફળ-ફૂલ વગરના છોડ, યુદ્ધ અથવા ઉદાસીનતા સાથે જોડાયેલી તસવીરો. આવી તસવીરો દુર્ભાગ્ય અને ભાવનાત્મક મુશ્કેલીઓ તરફ ઈશારો કરે છે. જે અંતે તમારા ઘરના તાલમેલ પર અસર કરી શકે છે.
Continues below advertisement
6/7
વાસ્તુ મુજબ, ગુલાબ સિવાય કેક્ટસ અને અન્ય કોઈ પણ કાંટેદાર છોડને ઘરમાં રાખવાથી બચવું જોઈએ. કારણ કે માનવામાં આવે છે કે આ છોડ નકારાત્મક ઊર્જા સાથે જોડાયેલા હોય છે અને વાતાવરણને ખરાબ કરે છે. તેમના કાંટા સામાન્ય રીતે જીવનમાં અવરોધોની નિશાની હોય છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 19 Feb 2026 09:23 AM (IST)
= 7">