Thursday: ગુરૂવારે વર્જિત એવા આ કામ કરવાથી, ઘરમાં દ્રરિદ્રતાની સાથે આ સંકટ નોતરશો
ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક બ અસર પડે છે. અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
Continues below advertisement
1/5
હિંદુ ધર્મમાં, સપ્તાહનો દરેક દિવસ એક અથવા બીજા ભગવાનને સમર્પિત છે. ગુરુવાર ગુરુનો દિવસ છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન બૃહસ્પતિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને એવું માનવામાં આવે છે કે ગુરુવારે પૂજા અને ઉપવાસ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક બ અસર પડે છે. અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.
2/5
જાણો ગુરુવારે ઘર કેમ ન સાફ કરવું?-કોઈપણ કુંડળીમાં બીજું અને અગિયારમું સ્થાન ધનનું છે. આ બંને સ્થાનોનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ગ્રહને નબળો પાડનાર કામ કરવાથી ધનની વૃદ્ધિ અટકી જાય છે. નાણાકીય લાભ માટે ગમે તેવી સ્થિતિ સર્જાઈહોય પરંતુ ગુરૂવારે આ કામ કરવાથી વિક્ષેપ આવવા લાગે છે. માથું ધોવા, ભારે કપડા ધોવા, વાળ કાપવા અને મુંડન કરાવવું, શરીરના વાળ સાફ કરવા, ફેશિયલ કરાવવું, નખ કાપવા, ઘરમાંથી જાળા સાફ કરવા, ઘરના જે ખૂણે-ખૂણા રોજ સાફ ન થઈ શકતા હોય તેને ગુરૂવારે સાફ ન કરવા.આ બઘા જ કામ કરવાથી પૈસાની ખોટના સંકેત. પ્રગતિમાં ઘટાડો થવાનો સંકેત છે.ગુરુવાર ધર્મનો દિવસ છે અને બ્રહ્માંડમાં સ્થિત નવ ગ્રહોમાં ગુરુ વજનમાં સૌથી ભારે ગ્રહ છે.
3/5
આ જ કારણ છે કે આ દિવસે દરેક કામ જે શરીર કે ઘરમાં હળવાશ લાવે છે. આવા કાર્યો કરવા માટે પ્રતિબંધ છે કારણ કે આમ કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. એટલે કે ગુરુના પ્રભાવમાં આવતા કારક તત્વોની અસર હળવી બને છે. ગુરુ એ ધર્મ અને શિક્ષણનો કારક છે. ગુરુ ગ્રહ નબળો પડવાથી શિક્ષણમાં નિષ્ફળતા મળે છે. સાથે જ ધાર્મિક કાર્યો તરફનો ઝોક ઓછો થતો જાય છે. શાસ્ત્રોમાં મહિલાઓને ગુરુવારે વાળ ધોવાની મનાઈ છે. કારણ કે સ્ત્રીઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. આ સાથે ગુરૂ સંતાનનો કારક છે. આ રીતે, ગુરૂ ગ્રહ એકલા બાળકો અને પતિ બંનેના જીવનને ખૂબ અસર કરે છે.
4/5
ગુરુવારે માથું ધોવાથી ગુરુ નબળો પડે છે, જેનાથી ગુરુની શુભ અસર ઓછી થાય છે. આ કારણથી આ દિવસે વાળ ન કાપવા જોઈએ કે ન ધોવા જોઇએ., આવું કરવાથી બાળકો અને પતિના જીવન પર અસર પડે છે. તેમની પ્રગતિમાં અવરોધ આવે છે.જે રીતે ગુરુની અસર શરીર પર રહે છે. એ જ રીતે ઘર પર ગુરુની અસર વધુ ઊંડી અસર હોય છે.
5/5
વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાનો સ્વામી ગુરુ છે. ઈશાન એંગલ પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે. આ સાથે જ ઘરના પુત્ર અને બાળકનો સંબંધ પણ આ એંગલથી છે. ઈશાન એ ધર્મ અને શિક્ષણની દિશા છે. ઘરમાં વધુ વજનવાળા કપડાં ધોવા, ઘરની જૂનો કચરો બહાર કાઢવો, ઘર ધોવા વગેરે કામ ઘરના ઈશાન કોણને નબળો પાડે છે. તેનાથી પરિવારના સભ્યોના સંતાનો, પુત્રો, શિક્ષણ, ધર્મ વગેરે પરની શુભ અસર ઓછી થાય છે
Continues below advertisement
Published at : 11 Oct 2023 04:02 PM (IST)