Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રી પર અચૂક કરો આ કામ, થશે મનોકામનાની પૂર્તિ
22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, આ વખતે નવરાત્રિની શરૂઆત શુભ યોગ સાથે થશે. ચૈત્રી નવરાત્રી આવવાની છે. નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન કરેલા ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.મા દુર્ગાની પૂજા કરવા આ ઉપાયો કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણે દરેક ક્ષણે મા દુર્ગાને યાદ કરવી જોઈએ, પરંતુ માતાના નવ સ્વરૂપોની વિશેષ ઉપાસના માટે નવરાત્રિ ચોક્કસપણે એક શુભ મુહૂર્ત માનવામાં આવે છે.
મા દુર્ગા (દુર્ગા પૂજા)ની આરાધનાનો આ દુર્લભ સમયગાળો કોઈપણ ચૂકવા નથી માગતું , જો આ અવસરનો પુરતો લાભ લેવો હોય તો વિધિવત રીતે મા દુર્ગાનું સ્થાપન પૂજન અને અનુષ્ટાન કરવું જોઇએ તેનાથી લાભ મળે છે.
મા દુર્ગાને શીઘ્ર પ્રસન્ન કરવા માટે અને મનોકામનાની પૂર્તિ માટે આ નવરાત્રીના અવસરે કેવી રીતે માની આરાધના કરવી જાણીએ.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં જાગો સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરીને માની ઉપાસના કરો.
નવરાત્રીના વ્રતમાં કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરો એટલે કે વાદળી, બ્લુ કે કાળા વસ્ત્રો ન પહેરો
નવરાત્રિના નવ દિવસો દરમિયાન દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં દરેક સ્વરૂપ માટે ચોક્કસ રંગ સૂચવવામાં આવ્યો છે.