Deepotsav 2022: અયોધ્યામાં દીપોત્સવની તૈયારી પૂર્ણ, જુઓ ભવ્ય તસવીરો
Deepotsav 2022: દિવાળી પહેલા રવિવારે અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા આવી રહ્યા છે.
અયોધ્યા દીપોત્સવ
1/8
દિવાળી પહેલા અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ ઉજવવામાં આવશે. આ દરમિયાન કુલ 18 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે.
2/8
આ કાર્યક્રમ દરમિયાન આતશબાજી, લેસર શો અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે.
3/8
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું કે રામ કી પૌડીમાં 22,000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
4/8
અધિકારીએ જણાવ્યું હતું કે, બાકીના દીવાઓ મહત્વપૂર્ણ સ્થળોએ પ્રગટાવવામાં આવશે.
5/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત અયોધ્યાના છઠ્ઠા દીપોત્સવમાં અંગત રીતે ભાગ લેશે.
6/8
રામ કી પૌડીમાં 22,000 સ્વયંસેવકો 37 ઘાટ પર 17 લાખ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવશે.
7/8
અયોધ્યામાં આ વખતે દીપોત્સવ પહેલા 10 દેશના કલાકારો રામલીલા કરી રહ્યા છે.
8/8
આ વખતે અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન 16 ઝાંખીઓ જોવા મળશે, જ્યારે ગત વખતે 11 ઝાંખીઓ જોવા મળી હતી.
Published at : 23 Oct 2022 12:45 PM (IST)