Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ પર ભૂલથી પણ ના ખરીદો આ વસ્તુઓ, નારાજ થઇ જશે બજરંગબલી
Hanuman Jayanti 2024 Date: હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમા, મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર મંગળવારે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વર્જિત છે. તેનાથી હનુમાનજી ગુસ્સે થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવાર હનુમાનજીની પૂજા અને ઉપવાસ માટે સમર્પિત છે, કારણ કે તે હનુમાનજીનો પ્રિય વાર છે. આવી સ્થિતિમાં આ વર્ષે હનુમાન જયંતિ પણ મંગળવારે આવી રહી છે, જે ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
તેમજ મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ દિવસ છે. જો કે આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાની શાસ્ત્રોમાં મનાઈ છે, પરંતુ તેનાથી બજરંગબલી નારાજ થાય છે અને જીવન પર અશુભ અસર પડે છે. તેથી હનુમાન જયંતીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદવી.
કાળા કપડાંઃ મંગળવારે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન ખરીદો. ખરીદી સિવાય મંગળવાર કે હનુમાન જયંતિ પર કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો. આ દિવસે કાળા રંગના કપડા પહેરવા શુભ નથી.
નવું ઘરઃ મંગળવારે નવું ઘર ન ખરીદવું જોઈએ. એટલું જ નહીં આ દિવસે કોઈ નવું કામ પણ ન કરવું. તેનાથી ઘરના વડાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. મંગળવારે ઘરનો પાયો ખોદવો, ભૂમિપૂજન, બાંધકામ વગેરે કરવાનું ટાળો.
મેક-અપ એસેસરીઝઃ વિવાહિત મહિલાઓ માટે મંગળવારે લગ્ન કે મેક-અપ એક્સેસરીઝ ખરીદવી શુભ નથી. કારણ કે તે તમારા લગ્ન જીવનને અસર કરે છે અને સમસ્યાઓ શરૂ થાય છે.
કાચ કે લોખંડની વસ્તુઓઃ લોખંડ કે કાચની વસ્તુઓ ન ખરીદો અને મંગળવારે હનુમાન જયંતિના દિવસે આ વસ્તુઓ ઘરે લાવો નહીં. આમ કરવાથી ભગવાન હનુમાનજી ગુસ્સે થઈ શકે છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.